Botad
વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગની બેઠક યોજાઈ, – આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા

કુવાડિયા
VHPનો અભ્યાસ વર્ગ
સૌરાષ્ટની દેહાણ પરંપરાની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશનું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ગત તા.18/3/2023 અને 19/3/2023 ના રોજ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બે દિવસનો અભ્યાસ વર્ગની બેઠક યોજવામાં આવેલી હતી
અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જગ્યાના મહંત પ.પૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામા આવેલ હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંગઠન મંત્રી વિનાયકજી દેશપાંડે, કેન્દ્રીય સેવા સંયોજક અજયકુમારજી, પ્રાંત પ્રચારક RSSના મહેશ જીવાણી, ક્ષેત્રીય મંત્રી અશોક રાવળ, ક્ષેત્રીય સહમંત્રી અશ્વિન પટેલ, ક્ષેત્રીય બજરંગ દળ સંયોજક ભાવેશ ઠક્કર, સૌરાષ્ટ પ્રાંત અધ્યક્ષ ભરત મોદી, સૌરાષ્ટ પ્રાંત મંત્રી ભુપત ગોવાણી તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલ સહિત આ કાર્યક્રમમાં હાજર રહી વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ તેમજ આર.એસ.એસ નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.
આ તમામ લોકો જગ્યામાં બે દિવસ દરમિયાન ખુબ સુંદર સરસ પ્રતિકૂળ વાતાવરણ અને આધ્યાત્મિક ભાવ સાથે આનંદ માળેલો હતો. જગ્યાની શ્રી બણકલ ગૌશાળાની મુલાકાત લીધેલી અને જગ્યાના અન્નપૂર્ણા ભંડારની આધુનિકતા તેમજ તમામ જગ્યાની ચોખાઈ અને વ્યવસ્થા ભવ્યતા જોઈ ખુબ રાજીપો વ્યક્ત કર્યો હતો. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ તેમજ મહંત નિર્મળાબા ના આશીર્વાદ લીધા હતા.