Botad
બોટાદ ; 11 કિમિ સાયકલ ચલાવીને પોલીસે કરી પદયાત્રીકોની સુરક્ષા

રઘુવીર મકવાણા
સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ અને સુરક્ષાને લઈ પોલીસ દ્વારા નવતર પ્રયોગ, આ સાઇકલ પેટ્રોલિંગમાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી ટ્રાફીક પોલીસ સહિત કર્મીઓ જોડાઈ હતા
રાજ્ય નહીં સમગ્ર દેશમાં સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓએ 11 કિમીની સાયક્લિંગ કરીને પદયાત્રીકોની કરી સુરક્ષા બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ અને લાખૌ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળગપુર ધામ, સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રોજ દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનેઆવે છે.
તેમજ બોટાદ જિલ્લાના વિસ્તારોમાંથી શનિવારને લઈને મોટી સંખ્યામાં ભક્તો પગપાળા સાળંગપુર હનુમાનજી દાદાના દર્શને જાય છે ત્યારે પગપાળા સાળંગપુર જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. અઠવાડિયાના દર શુક્રવારે બોટાદ તેમજ બરવાળા પંથક માથી મોટી સંખ્યામાં સાંજના સમયે પદયાત્રીઓ સાળગપુર જતા હોય છે ત્યારે તેની સુરક્ષા માટે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા, ડિવાયેસપી મહર્ષિ રાવલ, એલસીબી,એસઓજી, ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદ થી સાળગપુર ૧૧ કિલોમીટર સુધી સાયક્લિંગ યોજી હતી અને પગપાળા જતા જતા પદયાત્રીઓની સુરક્ષા કરી નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.
દર અઠવાડિયામાં શુક્રવાર, શનિવારે સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા જતા હોય છે જેની સુરક્ષા ને લઈને આ સાયક્લિંગ પોલીસ દ્વારા કરવામાઆવેલ છે અનેઅઠવાડીયા ના દર શુક્રવારે અને શનિવારે સાયક્લિંગ કરાશે જેથી લોકોની સુરક્ષા ને લઈને લોકો અને પોલીસ વચ્ચે સેતુ બંધાશે તેમજ યુવાનો વ્યસનો અને ડ્રગ્સ જેવી કુટેવોથી દુર રહે તેમજ તંદુરસ્તી જાળવવા લોકો પણ સાયક્લિંગ કરે તેવી જિલ્લા પોલીસ વડાએ અપિલ કરી હતી.