Connect with us

Sihor

સિહોર તાલુકાના આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં વિમલ જળ મંદિર ઉદ્દઘાટન થયું

Published

on

Vimal water temple inaugurated at Gramdakshinamurthy Lokshala at Ambala in Sihore taluk

પવાર

વિમલ વડેરા સ્મૃતિ પરમાર્થ સંસ્થાના સૌજન્યથી થયું નિર્માણ

સિહોર તાલુકા ના આંબલા ખાતે શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિમલ જળ મંદિર ઉદ્દઘાટન થયું છે. વિમલ વડેરા સ્મૃતિ પરમાર્થ સંસ્થાના સૌજન્યથી રૂપિયા દોઢ લાખના અનુદાન સાથે આ પરબનું નિર્માણ થયું છે.

Vimal water temple inaugurated at Gramdakshinamurthy Lokshala at Ambala in Sihore taluk

જેનું ઉદ્દઘાટન સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવે અને શ્રી ભિખાભાઈ કોરાટના હસ્તે થયું. વિમલ જળ મંદિર ઉદ્દઘાટન પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની, શ્રી પ્રશાંત ભાઈ ભટ્ટ, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી રાજુભાઈ વાળા, શ્રી વાઘજીભાઈ કર મટિયા તથા શ્રી ડાયાભાઈ ડાંગર જોડાયા હતા. શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે આ પાણી પરબ માટે શ્રી ઘનશ્યામભાઈ સભાડિયા સાથે શ્રી જીતુભાઈ જોષીનું સંકલન રહ્યું હતું. આ દાતા પરિવાર દ્વારા આ વિસ્તારમાં અન્ય પણ સખાવત કાર્ય થતું રહ્યું છે.

Advertisement
error: Content is protected !!