Bhavnagar
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લાગણી સાથે પીએમ મોદીની માતા હીરાબાને શ્રદ્ધાંજલિ અપાઈ
![Bhavnagar district BJP paid tribute to PM Modi's mother Heeraba with emotion](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-30-at-9.10.24-PM.jpeg)
કુવાડિયા
- વડાપ્રધાનને માતૃશોક છતાં તેઓની રાષ્ટ્રની ફરજ સૌ માટે પ્રેરણારૂપ છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીનું અવસાન થતાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે અને માતૃશોક છતાં રાષ્ટ્રની ફરજમાં તરત જ રહેલા વડાપ્રધાન આપણાં સૌ માટે પ્રેરણારૂપ રહ્યાનું જણાવાયું છે. ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ સાથે પ્રદેશ ભાજપ અગ્રણીઓ તેમજ ધારાસભ્ય શ્રીઓએ સ્વર્ગસ્થ શ્રી હીરાબાના અવસાનથી શોકની લાગણી વ્યક્ત કરી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અઘ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ વડાપ્રધાન શ્રીના માતુશ્રી હીરાબાના અવસાનથી પાઠવેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યું કે, ભારતવર્ષના મહાન સપૂત શ્રી નરેન્દ્ર મોદીના માતાનું અવસાન ભલે ૧૦૦ વર્ષની વયે થયું, પરંતુ માતાની ખોટ એ ખોટ જ હોય છે.
આ પરિસ્થિતિમાં પુત્ર તરીકેની પૂરી ફરજ બજાવી તરત જ વડાપ્રધાન તરીકે તેઓની જવાબદારી નિભાવવા ગણતરીના કલાકોમાં જ જોડાઈ ગયા અને દેશના તેમના નિયત ઉપક્રમોની કામગીરીમાં લાગી ગયાં, આમ તેઓની તેઓની રાષ્ટ્રની ફરજ સૌ માટે પ્રેરણારૂપ છે. સ્વર્ગીય શ્રી હીરાબાને જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયા, મહામંત્રીઓ શ્રી ભૂપતભાઈ બારૈયા, શ્રી કેતનભાઈ કંત્રોડિયા તથા શ્રી હરેશભાઈ વાઘ સાથે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.