Connect with us

Bhavnagar

ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતા ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ ઉપર ધોલેરા – અમદાવાદ એક્સપ્રેસ – વેનું કામકાજ ચાલતુ હોવાથી આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે ; મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું

Published

on

As the work of Dholera-Ahmedabad Express-way is going on on the Bhavnagar-Ahmedabad short route, which is the most crowded with traffic, this highway will be closed till December 12; Notification of Traffic Department for Travel

સલિમ બરફવાળા

હવે ભાવનગરથી અમદાવાદ બરોડા જવું વાયા વલ્લભીપુર ધંધુકા, થઈને જવાનું રહેશે : હવે જો ભાવનગરથી અમદાવાદથી જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે

ભાવનગર થી અમદાવાદ ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જો ભાવનગરથી અમદાવાદથી જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે.અમદાવાદ ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર, હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુઁ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.

As the work of Dholera-Ahmedabad Express-way is going on on the Bhavnagar-Ahmedabad short route, which is the most crowded with traffic, this highway will be closed till December 12; Notification of Traffic Department for Travel

જે મુજબ, હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે. આ હુકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. એટલે કે, 12 ડિસેમ્બર, 2023 સુધી લોકોએ ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે. આ છે ડાયવર્ઝનનો રુટ જોઈએ તો ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનોભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઇને વડોદરા જઇ શકાશે.ધોલેરાથી બાવળીયારી તરીફના હાઇ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઇને ભડિયાદ જઇ શકાશે.ભાવનગરથી વડોદરા જવા માટે પણ વાયા વલભીપુર થઈને જવું પડશે જાહેરનામા મુજબ, તમામ વાહનો માટે આ નિયમ લાગુ પડશે. જે આજથી 12 ડિસેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

Advertisement
error: Content is protected !!