Sihor
તમારૂ કામ શરૂ કરવાનો સોમવાર ક્યારે આવશે ચુડાસમા સાહેબ – સાગવાડી ગામના ગ્રામજનો પૂછી રહ્યા છે
દેવરાજ
સાગવાડી ગામના અધૂરા મુકેલ રસ્તાના કામનું મુહરત ક્યારે આવશે – જો કામ શરૂ નહિ થાય તો રસ્તો બંધ કરી દેવાશે – ગ્રામજનો
સિહોરના સાગવાડી ગામે છેલ્લા કેટલાય દિવસોથી પી ડબ્લ્યુ ડી વિભાહ દ્વારા રસ્તો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે. જેને લઈને ગ્રામજનો અને રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ રસ્તા ને મામલે ગ્રામજનો દ્વારા રસ્તો બંધ કરવામાં આવતા અધિકારી ચુડાસમા આવી પહોંચ્યા હતા અને સોમવારે રસ્તાનું કામ શરૂ કરી દેવાનું કહી ને જતા રહ્યા હતા. સોમવાર ઉપર મંગળવાર ને બુધવાર પણ નીકળી જતા ગ્રામજનો ની ધીરજ ખૂટતા મામલો ફરી બગડવા જય રહ્યો છે. ગ્રામજનો નો આક્રોશ ફરી આગળ વધી રહ્યો છે
જેને લઈને આગામી બે દિવસોમાં રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે નહિ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. અને સાથે જ આ ગામનો માર્ગ પણ ફરી બંધ કરી દેવામાં આવશે. આ આંદોલન શરૂ થયા બાદ કોઈ પણ આગેવાન કે રાજકીય નેતા કે અધિકારી નું સાંભળવામાં આવશે નહિ તેવું પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે. શા માટે તંત્રના અધિકારીઓ દ્વારા આ કામ ઉપર ગ્રહણ લગાવી ને બેઠા છે એ સમજાતું નથી લોકોની સમસ્યાઓ દૂર કરવા એ ખુરશીઓ ઉપર સરકાર તમને બેસાડે છે સમસ્યાઓ માં વધારો કરવા માટે નહીં