Sihor
સિહોર તાલુકાના લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે શ્રી મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા
![Sri Moolashankarbhaibhatta Memorial Lecture Series with reading by students at Lokabharati Sanosara, Sihore Taluk](https://shankhnadnews.com/wp-content/uploads/2023/09/126846350_631d3164-9501-4575-b767-5233c0a3d544.jpg)
પવાર
- આગામી સોમવારે થયેલું વિશિષ્ટ આયોજન
સિહોર તાલુકાના લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે શ્રી મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વિશિષ્ટ આયોજન થયેલ છે. કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલા શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું દર વર્ષે આયોજન થાય છે, જેના સત્તરમાં મણકામાં વિશિષ્ટ આયોજન થયેલ છે. આગામી સોમવાર તા.૧૧ના સવારે વ્યાખ્યાનમાં શ્રી મૂ.મો.ભટ્ટના સાહિત્યનું વિદ્યાર્થીઓ દ્વારા વાચન અને આચમન થશે. લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરા ખાતે સારસ્વત ભવનમાં આ વ્યાખ્યાન યોજાશે.