Sihor
ભાવનગર વકીલ સાથે પોલીસકર્મીએ અસભ્ય વર્તન કરતા સિહોર વકીલ મંડળ બાર લાલઘુમ ; કોર્ટ કાર્યવાહી થી અળગા રહ્યા

પવાર
ભાવનગર બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ASIએ ખરાબ વર્તન કરી લાફા મારી દેતા વકીલોમાં વિરોધ જોવા મળી રહયો છે. ભાવનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતાં અને ભાવનગર બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ASIએ ખરાબ વર્તન કરી લાફા મારી દેતા સિહોરના વકીલો કોર્ટ કામથી અગળા રહી વિરોધ નોંધાવ્યો છે ભાવનગર શહેરમાં રહેતા અને વકીલાત કરતાં તથા ભાવનગર વકીલાત મંડળ – બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર જયેશ મહેતા પરીવારને લઈને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ ગયાં હતાં જયાં આ બાઈક પાર્કિંગ બાબતે સિકરયુરિટી તેમજ હોમગાર્ડના જવાના સાથે બોલાચાલી થાત બી-ડીવીઝન પોલીસને સ્થળપર બોલાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
જેમાં એએસઆઈ જે.જે.સરવૈયાએ વકીલ સાથે તોછડુ વર્તન કરી તેને લાફા મારી ચશ્મા તોડી બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી બાઈક સાથે પોલીસ મથકે લઈ ગયાં હતાં જયાં પણ વકીલ સાથે અસભ્ય વર્તન કરી હોમગાર્ડ મહિલાની છેડતીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.બળજબરીથી માફી નામું લખાવી દંડ વસુલ્યો હતો અને મોબાઈલ આંચકી કોઈ સાથે વાત પણ કરવા દિધી ન હતી આ વ્યથામાથી મુક્ત થયેલ વકીલે પોતાની આપવીતી વકીલ મંડળને જણાવતાં વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર ઘટના મામલે સિહોર બાર એસોસિએશન કોર્ટ કાર્યવાહી થી અળગા રહીને રોષ વ્યકત કર્યો હતો અને પોલીસ કર્મી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી હતી