Sihor
સિહોર ; રાજપરા ખોડિયાર મંદિરના દર્શન પૂજા અર્ચના કરતાં આપના નેતા અલ્પેશ કથીરિયા
![Sihor; AAP leader Alpesh Kathiria performing darshan puja of Rajpara Khodiyar temple](https://shankhnadnews.com/wp-content/uploads/2023/04/1-10.png)
પવાર
પાટીદાર યુવા અગ્રણી અને આપના નેતા અલ્પેશ કથીરિયા આજે ભાવનગરના પ્રવાસે હતા, રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શન કરી સિદસર ખાતે ડાખરા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં આપી હાજરી
પાટીદાર સમાજના યુવા અગ્રણી અને આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા આજે ભાવનગરના પ્રવાસે હતા ત્યારે જગ પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી અને ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી.
અલ્પેશ કથીરિયાએ આજે બપોરના સમયે સિહોર નજીક રાજપરા ખોડિયાર ખાતે આવેલ માં ખોડિયારના ચરણોમાં શ્રદ્ધઆપૂર્વક શીશ ઝુકાવી દર્શન કર્યાં હતાં.અને પૂજા અર્ચના કરી આર્શિવાદ મેળવ્યા હતા. અલ્પેશ કથીરિયાને રાજપરા ખોડિયાર મંદિર ખાતે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિક દોમડિયા સહિતના સ્થાનિક કાર્યકરોએ ઉષ્માભેર આવકાર્યાં હતાં.
અલ્પેશ કથીરિયાએ જગ પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી અને ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી ત્યાર બાદ આપના કાર્યકરોને રૂબરૂ મળી સંવાદ કર્યો હતો ટૂંકી મુલાકાત બાદ સિદસર ખાતે ડાખરા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં પણ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા જે વેળાએ ધાર્મિક માલવીયા અને દર્પણ ડાખરા પણ જોડાયા હતા