Sihor
સિહોરના રામનાથ રોડે ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ; અરેરારી
![Ramnath Road of Sihore died by hanging](https://shankhnadnews.com/wp-content/uploads/2023/09/img2.png)
દેવરાજ
સિહોરના રામનાથ રોડ ઉપર આજે ફરી અધિટિત ઘટના બની છે, રામનાથ રોડ પરના એક એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ યુવાન છેલ્લા કેટલાય સમયથી વ્યસનોના ભરડામાં હતો જેમાં ખાસ કરીને દારૂની લત આ યુવાનના જીવન પર ભારે અસર કરી ગઈ. ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધી એટલા માટે જ છે કે રાજ્યના લાખો યુવાનો પોતાના જીવનના મૂલ્યને સમજીને આવા પ્રાણઘાતક વ્યસનોથી દૂર રહે
પણ છતાં રાજ્યના દરેક ખૂણે, દરેક વિસ્તારોમાં કોઈને કોઈ રીતે દારૂનું વેચાણ ફુલ્યુફાલ્યું છે, યુવાનો દારૂની લતના કારણે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, સિહોરમાં પણ અત્યાર સુધી આવા અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે આજે ફરી એકવાર રામનાથ પરા રોડ ઉપર રહેતા યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે, પ્રાથમિક માહિતી મુજબ આ યુવાન દારૂની લતમાં ભરડાઈ ગયો હતો, આ ઉપરાંત તે અમુક અંશે માનસિક બીમાર પણ હોય તેવી માહિતી મળી છે, આજે બપોર આસપાસ આ યુવાન ગળાફાંસો ખાઈ લેતા રામનાથ પરા વિસ્તારમાં ચકચારો મચી ગયો હતો, ઘટના બાદ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી હતી, યુવકનું પોસ્ટમોર્ટમ અને આત્મહત્યા કરવાના કારણ બાબતે સિહોર પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.