Connect with us

Bhavnagar

કંડકટરની બિમારીના કારણે કેન્સલ થયેલ બસના મુસાફરોને રિફંડ હજુ સુધી ન મળતા મુસાફરોમાં આક્રોશ

Published

on

outcry-among-passengers-who-have-not-yet-received-refunds-for-buses-canceled-due-to-conductors-illness

પવાર

  • જિલ્લા એસ.ટી તંત્રની લીલીયાવાડી ક્યાં સુધી પ્રજા સહન કરશે ?

ભાવનગર થી તોરણીયાધામ જતી એસ.ટી બસ તા.૨૪/૧/૨૩ નું સિહોરથી ગોંડલ જવા માટે બુકીંગ કરેલ પણ આ પ્રજાજનોની કમનસીબે કંડકટર એકમાત્ર હોય જે બીમાર હોવાથી આખા રૂટની બસ જ કેન્સલ કરી દેવામાં આવી હતી. જેને લઈને બુકીંગ કરેલ મુસાફરો ને પૈસા અને સમય બંનેનો વેડફાડ થયો હતો. ત્યારે સિહોર એસ.ટી ડેપો ઉપરથી જ એડવાન્સ બુકીંગ કરેલ અને રિફંડ માટે પણ ત્યાજ ટિકિટો જમા કરાવી હતી

outcry-among-passengers-who-have-not-yet-received-refunds-for-buses-canceled-due-to-conductors-illness

છતાં નવ દિવસ જેવા સમયગાળા વચ્ચે પણ મુસાફરો ને પોતાના ટિકિટના પૈસા રિફંડ મળેલ હતા નહિ જેને લઈને મુસાફરો નો જિલ્લા એસ.ટી વહીવટી નિગમ ઉપર આક્રોશ જોવા મળ્યો હતો અને કદાચ આવી જ લીલીયાવાડી ના લીધે મુસાફરો ખાનગી બસોમાં મુસાફરી કરવાનું પહેલા પસંદ કરતાં હશે

error: Content is protected !!