Connect with us

National

ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના દર્શાવતા મોરારીબાપુ

Published

on

Moraribapu expressing condolences to those killed in accidents in Uttar Pradesh and Maharashtra

પવાર

ગઈકાલે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના અજમતપુર નજીક એક ટ્રેક્ટરની ટ્રોલી પુલ પરથી નીચે ખાબકતા બે મહિલા સહિત 11 લોકોના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા. આ સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈ પુના હાઈવે પર રાયગઢમાં કલાકારોની એક બસ મુખ્ય માર્ગ પર થી 300 ફૂટ નીચે ખીણમાં ખાબકતા 13 લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો પ્રતિ પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજન ને રુપિયા 11 -11 હજારની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે.

Moraribapu expressing condolences to those killed in accidents in Uttar Pradesh and Maharashtraઆમ બંને ઘટનાઓ માં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી કુલ મળીને રુપિયા બે લાખ ત્રેપન હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. મુંબઈ અને લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવા માં આવી રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો તરફ સંવેદના વ્યક્ત કરી એમના નિર્વાણ માટે શ્રીહનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે તેમજ તેમના પરિજનોને દિલસોજી પાઠવેલ છે.

error: Content is protected !!