Sihor
સિહોરના જાણીતા બિલ્ડર મેરાભાઈ આહીર દ્વારા જન્માષ્ટમીના પર્વે હોટેલ ‘હરે ક્રિષ્ના’ નો શુભારંભ થયો.
![Hotel 'Hare Krishna' was inaugurated on Janmashtami Parve by Merabhai Ahir, a well-known builder of Sihore.](https://shankhnadnews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-9.16.45-AM.jpeg)
Pvar
દિવસેને દિવસે સિહોરનો વિકાસ અવિરતપણે ચાલી રહ્યો છે અનેક નાના મોટા પ્રોજેક્ટ પર સિહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં કાર્યો થઈ રહ્યા છે, ભાવનગર રોડ અને અમદાવાદ રોડ આગામી સમયમાં સિહોરનો પોશ એરીયા ગણાશે તેવી પૂરી સંભાવનાઓ છે, અને માટે જ આ વિસ્તારમાં અનેક નાના મોટા એકમો બની રહ્યાં છે, ત્યારે આજે સિહોરના અમદાવાદ રોડ પર આવેલા શિવાલિક ટ્રાઇડેન્ટ ખાતે ‘હોટેલ હરે ક્રિષ્ના’ નો શુભારંભ કરવામાં આવ્યો છે.
સિહોરમાં નાના-મોટા ઘણા ઔદ્યોગિક એકમો છે, જ્યાં સમગ્ર ગુજરાત અને આખા દેશમાંથી ઉદ્યોગપતિઓ અને તેને લગતા કર્મચારીઓ અવારનવાર આવતા હોય છે ત્યારે તેમની સુવિધા માટે અને સિહોરથી પસાર થતાં અન્ય વિસ્તારના લોકોને એક વ્યવસ્થિત સ્થાન મળી રહે તે માટે આવી હોટલોની પણ ખાસી જરૂર ઊભી થઈ રહી છે, ત્યારે આજે ‘હોટેલ હરે ક્રિષ્ના’ નો શુભારંભ થતા આ તમામ લોકોને ભાવનગર શહેરનો એક વિકલ્પ મળી રહેશે એટલું ચોક્કસ છે.
હોટેલ હરે ક્રિષ્નાના શુભારંભોમાં અનેક પૂજનીય સાધુ સંતો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, સરકારી અધિકારીઓ અને પત્રકાર મિત્રો સહિત સમાજના વિવિધ અગ્રણીઓ અને સ્નેહીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મેરાભાઈ આહીર દ્વારા રાજકોટ રોડ પર ક્રિષ્ના પાર્ટી પ્લોટ તેમજ ક્રિષ્ના હોટલનું વર્ષોથી સુચારુ સંચાલન થાય છે, ત્યારે તેમનું આ નવું સોપાન તેઓની સાથે સાથે સિહોરના લોકોને પણ કોઈને કોઈ રીતે ઉપયોગી નીવડશે.