Connect with us

Bhavnagar

ભાવનગરની બજારમાં રૂા. 10 ના ચલણી સિક્કાના અસ્વિકાર સામે કલેક્ટરમાં રજૂઆત

Published

on

Bhavnagar market Rs. Representation to Collector against rejection of currency coin of 10

Pvar

  • વેપારી અને ગ્રાહકોમાં છુટા પૈસાની રામાયણ, 10 ના ચલણી સિક્કાનો અસ્વિકાર એ ગુનો બને છે જે વાત જાણવા છતાં વેપારીઓનો ઉછાળીયો

રૂા.૧૦ની નોટોની અછત અને રોજીંદા વ્યવહારમાં પડતી હાલાકીને દુર કરવા ચલણી સિક્કાનો સ્વિકાર જરૂરી બન્યો છે. પરંતુ વેપારીઓ દ્વારા આ બાબત નહીં સ્વિકારતા ચેમ્બર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. હાલમાં બજારમાં રૂા.૧૦ની ચલણી નોટોની ખુબ જ અછત છે તેના કારણે લોકોને અને તેમાય ખાસ કરીને વેપારીઓને તેમના રોજબરોજના વ્યવહારમાં ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂા.૧૦ના ચલણી સિક્કાઓ બજારમાં મુકવામાં આવેલ છે પરંતુ ભાવનગરના લોકો દ્વારા આ ચલણી સિક્કાઓ સ્વીકારવાની ના પાડે છે.

Bhavnagar market Rs. Representation to Collector against rejection of currency coin of 10

આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કોઇપણ ચલણનો ભારત દેશના કોઇપણ નાગરિક દ્વારા અસ્વિકાર થઇ શકતો નથી. રૂા.૧૦ના ચલણી સિક્કાનો અસ્વિકાર કરવો એ ગુનો બને છે તેવી વહિવટી તંત્ર દ્વારા સુચના આપવા છતાં પણ ભાવનગરના લોકો દ્વારા આ સુચનાનો અમલ થતો નથી તેથી આ અંગે ફરીવાર વહિવટી તંત્ર દ્વારા રૂા.૧૦ના ચલણી સિક્કા સ્વિકારવા અંગે લોકોને અવગત કરવા જોઇએ તેવી ચેમ્બર દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવેલ છે. આ સાથે મુખ્ય બજારની નજીકની બેન્કની શાખાઓમાં રૂા.૧૦ની સારી નોટોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માંગ કરાઇ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!