Gujarat
અમદાવાદમાં બિલ્ડીંગના 7મા માળે લાગી આગ, બાળકીનું મોત
![a-fire-broke-out-on-the-7th-floor-of-a-building-in-ahmedabad-a-girl-died](https://shankhnadnews.com/wp-content/uploads/2023/01/fire_repre_1200x768.jpeg)
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ઓરચીડ ગ્રીન ફ્લેટના સાતમા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. 15 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાંથી 5 સભ્યો તો ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ એક સગીરા ઘરમાં જ ફસાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત કરીને સગીરાને જીવતી બહાર કાઢી હતી પરંતુ ગંભીર રીતે દાઝી જવાના કારણે સગીરાનું મોત નીપજ્યું હતું.
આગ લાગવાનું કારણ અકબંધ
ઘટનાને પગલે ફાયરની ટીમ આઠમા માળે પહોંચી દોરડા મારફતે સાતમા માળે પહોંચ્યા હતા, ત્યાથી દરવાજો તોડીને સગીરને બચાવી હતી અને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. પરંતુ અતિશય દાઝી જવાના કારણે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું છે. આગ કેમ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે
આગની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટનામાં 4 લોકો તો બહાર નીકળી ગયા પરંતુ 1 સગીરાનું મોત નીપજ્યું છે.