Sihor
સિહોરના ટાઉનહોલ ખાતે આવતીકાલે આઝાદી માટે બલિદાન આપનાર શહીદોની યાદમાં રક્તદાન યોજાશે
![A blood donation will be held tomorrow at the town hall of Sihore in memory of the martyrs who sacrificed their lives for freedom.](https://shankhnadnews.com/wp-content/uploads/2023/03/aegvd.jpg)
કુવાડિયા
દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહાદત દિવસ સિહોર ખાતે હિન્દૂ જાગરણ મંચ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે સિહોરના ટાઉનહોલ ખાતે આવતીકાલે હિન્દૂ જાગરણ મંચ દ્વારા ટાઉનહોલ ખાતે સમય સાંજે ૬ થી ૮ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે.
રક્તદાન કરી વીર સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા જણાવ્યું છે. આવતીકાલે ગુરૂવારનાં બલિદાન દિવસ એટલે કે વીર શહીદ ભગતસિંગ, રાજગુરૂ અને સુખદેવનાં નિર્વાણ દિવસ નિમિત્તે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેનો ઉદ્દેશ રકતદાન કરીને ભારતમાતાનાં વીર સપુતોને શ્રધ્ધાંજલી અપર્ણ કરવાનો છે
જે માટે આ આયોજનમાં સિહોર શહેર તથા જિલ્લાનાં તમામ રક્તદાતાઓ ને તેમજ તેમનાં પરિવારજનો, મિત્ર ગણો સાથે પધારવા હાર્દિક નિમંત્રણ છે.