Sihor
સિહોરનાં સીંધી કેમ્પ ખાતે સિંધી સમાજ દ્વારા ‘200 સાલ સંતજનો કે નાલ’ કાર્યક્ર્મની ઉજવણી કરાઈ
!['200 years of Santajano Ke Naal' program celebrated by Sindhi Samaj at Sindhi Camp in Sihore](https://shankhnadnews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-10.47.51-PM.jpeg)
પવાર
- સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજાયો
સિહોર સિંધી સમાજનાં પરમ સંત પુરણ બ્રહ્મજ્ઞાની સંતબાબા થારયાસિંગજીની યાદમાં સિહોર સિંધી સમાજદ્વારા ”ખુશાલી દિવસ’ ઉજવાયો, જે અંતર્ગત 200 સાલ સંતજનો કે નાલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમમાં સિહોર સિંધી સમાજના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડાની આગેવાની હેઠળ સમાજનાં દરેક વ્યક્તિ દીઠ પોત્સાહન રૂપે ભેટ આપીને કીર્તન, પ્રોગામ અને લંગર પ્રસાદ કરી સંતોની ‘200 સાલ સંતજનો કે નામ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સીંધી સમાજના આગેવાનો, વિવિધ મહાનુભાવો, સમાજનાં શ્રેષ્ઠીઓ, વડીલો, માતાઓ, બહેનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.