Connect with us

Palitana

દાદા આદિનાથ ભગવાનના જયઘોષથી પાલિતાણા તીર્થક્ષેત્ર ગુંજી ઉઠ્યું ; દેશ-વિદેશથી આવેલા જૈન સમુદાયના લોકો જોડાયા

Published

on

The Palitana pilgrimage area was buzzing with the celebration of Dada Adinath God; People from the Jain community from all over the country joined

વિશાલ સાગઠીયા

સમગ્ર વિશ્વમાં જૈન સમુદાયના સૌથી મોટા અને બીજા ક્રમના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે આજરોજ ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. જૈનોમાં આ અવસરને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલિતાણામાં દૂર દૂરથી જૈનો સહપરિવાર સાથે પહોંચ્યા હતા. શેત્રુંજય પર્વતના યાત્રાદ્વાર તથા આદપુર ખાતે કે જયાં છ ગાઉની યાત્રાનું સમાપન થાય છે, ત્યાં યાત્રીઓ માટે વ્યવસ્થાના વિશાળ પંડાલો ઉભા કરવામાં આવ્યા છે અને પર્વત પર પણ મેડિકલ ઈમરજન્સીથી લઈને લોકોની પ્રાથમિક જરૂરિયાતને લગતી સવલતો બે દિવસ પૂર્વે જ શરૂ કરવામાં આવી છે.

The Palitana pilgrimage area was buzzing with the celebration of Dada Adinath God; People from the Jain community from all over the country joined

આજે 4 વાગ્યા વહેલી સવારે દાદા આદિનાથ ભગવાનના જયઘોષ સાથે જૈનો યાત્રાનો પ્રારંભ થયો હતો અને સ્થાનિક વહીવટી તંત્ર તથા જૈન સમાજની મુખ્ય આણંદજી કલ્યાણજી પેઢીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશભરમાંથી જૈન યાત્રિકો યાત્રા કરવાના હોય જે યાત્રાના સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

The Palitana pilgrimage area was buzzing with the celebration of Dada Adinath God; People from the Jain community from all over the country joined

મોબાઈલ સર્વેન્સની બે ટીમો બનાવાય યાત્રામાં ફેરી કરતા તમામ રીક્ષા ચાલકોને 1 થી 200 સુધીના યુનિક નંબર આપવામાં આવ્યા,યાત્રામાં ડ્રોનથી સર્વેન્સ કામગીરી કરવામાં આવશે અને કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 1 DYSP, 3 PI, 20 PSI, 164 પોલીસકર્મી,17 મહિલા પોલીસ, 23 ટ્રાફિક જવાનો, 134 હોમગાર્ડ, 118 GRD, 17 વોકીટોકી સ્ટાફ, 2 માઉન્ટેન( ઘોડેસવાર) પોલીસ, 6 મોટર સાઈકલ પોલીસ સહિત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!