Sihor
સિહોરના રાજપરા ખાતે રવિવારથી યોજાશે શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ
મિલન કુવાડિયા
- વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે
આગામી રવિવારથી શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવાર દ્વારા રાજપરા ખાતે રવિવારથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ યોજાશે. રવિવાર તા .૨૯થી શનિવાર તા.૪ દરમિયાન મહંત શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે.
શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવાર રાજપરા દ્વારા ભાગવત સપ્તાહના આ આયોજન દરમિયાન જાણિતા કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી અને શ્રી પોપટભાઈ માલધારી, શ્રી માયાભાઈ આહીર અને શ્રી સાગર દાન ગઢવી દ્વારા ભજન લોકડાયરા કાર્યક્રમ રાખવામાં આવેલ છે તથા શ્રી કિંજલબેન દવે દ્વારા માતાજીના ગરબાના કાર્યક્રમનો લાભ મળનાર છે.