Connect with us

Sihor

સિહોર : 21 વર્ષના મુસ્લિમ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું – આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ

Published

on

sihore-21-year-old-muslim-youth-commits-suicide-reason-behind-act-remains-unclear

દેવરાજ

  • ખાનગી ફેકટરીમાં મજૂરી કામ કરતા પિતાના પુત્ર માહીર સોરઠીયાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું ; પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ ; મુસ્લિમ સમાજમાં ઘેરો શોક

સિહોરમાં માત્ર 21 વર્ષના યુવાને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. યુવાને પોતાના ઘરમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. યુવાને આપઘાત કરી લેતા તેના માતા-પિતા અને પરિવારજનોની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ બાદ આપઘાત કરવાનું કારણ સામે આવી શકે છે.

sihore-21-year-old-muslim-youth-commits-suicide-reason-behind-act-remains-unclear

માહિતી અનુસાર, સિહોરના જુના સિહોર ખાતે આવેલ શાળા નંબર 1 પાસે રહેતા માહિર સોરઠીયા નામના 21 વર્ષના યુવાન તેઓના ઘરમાંથી બેભાન થયેલી હાલતમાં મળી આવ્યો હતો યુવાનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા યુવાનના પરીવારજનોએ તબીબને જણાવ્યુ હતું કે યુવાનેએ ગળેફાંસો ખાધો છે. હોસ્પિટલમાં ફરજ પરના તબીબીએ માહિરને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

sihore-21-year-old-muslim-youth-commits-suicide-reason-behind-act-remains-unclear

સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં સિહોર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે યુવાનના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે યુવાને એ કયા કારણોસર આપઘાત કર્યો તેનાથી પરિવાર પણ અજાણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, યુવાનના પિતા ખાનગી ફેકટરીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક બહેન અને બે ભાઈમાં માહિર મોટો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બનાવને લઈ મુસ્લિમ સમાજમાં ઘેર શોકની લાગણી વ્યાપી છે

error: Content is protected !!