Connect with us

Bhavnagar

જગ વિખ્યાત પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર તરફ જવાના બદતર રોડથી રાહદારીઓ ત્રાહિમામ

Published

on

pedestrians-trudge-through-badtar-road-leading-to-the-world-famous-rajpara-khodiyar-temple

પવાર

પવિત્ર અને વિખ્યાત ધામ એવા ખોડિયાર રાજપરા હાઇવે થી આશરે એક કિલોમીટર થી વધુ રોડ સાવ ભંગાર હાલતમાં હોઈ જો કે પગપાળા જનાર પદયાત્રીઓ,તેમજ બાધા, માનતા વાળા ઓ પણ ચાલી ન શકે એવી હાલતમાં રોડ હોઈ આ રોડ તાકીદે નવો બનાવવા લોક માંગ ઉઠવા પામી છે, ભાવનગર થી રાજકોટ હાઇવે ઉપર આવેલું આ મંદિર ખરેખર જગ વિખ્યાત હોઈ શ્રધ્ધાળુઓ અહીં કાયમી અને મોટા પ્રમાણમાં દર્શનાર્થે આવતા હોય ત્યારે આ બાબત તંત્રને પણ વારંવાર રજૂઆતો કરતાં પરીણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.

pedestrians-trudge-through-badtar-road-leading-to-the-world-famous-rajpara-khodiyar-temple

જો કે અહીં છાશવારે અકસ્માતો થતાં હોય છે કારણકે ખોડીયાર મંદિર થી લઈ ભડલી ગામ જવા ના રસ્તાઓ ઉપર ભડીયા ઓ આવેલ છે અને લોડીંગ વાહનો ને લઈ રોડ ની હાલત ખરાબ છે તેમજ આ ખોડીયાર મંદિર ખાતે કેન્દ્ર સરકાર કે ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રીઓ ,રાજકીય પક્ષો ના નેતાઓ ,ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ આ સ્થળે દર્શને આવતા જતા હોય છે તેમ છતાં સરકાર/ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે આ બિસમાર રોડનું કામ ટુંક સમયમાં થાય એવો લોકો ઇચ્છી રહ્યાં છે

error: Content is protected !!