Connect with us

Palitana

રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ પાલિતાણાના માછીમાર બન્યા ‘આત્મનિર્ભર’

Published

on

Fishermen of Palitana became 'self-reliant' by taking advantage of state government schemes

Pvar

  • મન હોઈ તો માળવે જવાય…એ કહેવત પાલિતાણાના મત્સ્યખેડૂત એટલે કે માછીમાર વિનોદભાઇ મીઠાપુરાને બરાબર લાગુ પડે છેFishermen of Palitana became 'self-reliant' by taking advantage of state government schemes

તેઓ એક સમયે બીજાને ત્યાં મત્સ્યપાલક તરીકે કામ કરતાં હતા જ્યારે આજે 100 થી વધુ લોકોને રોજગારી પુરી પાડે છે. પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ નજીક રહેતા અને મહુવા તાલુકાના કોટીયા તળાવે અંતર્દેશીય મત્સ્યપાલન કરતાં વિનોદભાઇ જણાવે છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમના માટે ખૂબ જ લાભદાયી રહી છેFishermen of Palitana became 'self-reliant' by taking advantage of state government schemes

તેઓને કોટીયા તળાવ સરકાર દ્વારા ઇજારામાં આપવામાં આવતા તેમાં તેમના પરિવાર દ્વારા મત્સ્યપાલન કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સહાયમાં મત્સ્યબીજ 50 ટકા રાહતે, માલ પરિવહન માટે પ્રતિ કેરેટ 300 રૂપિયા, ઇન્સ્યુલેટેડ બોક્સ સહાય, બોટજાળ ખરીદવામાં 7500 રુપિયાની સબસિડી અને મત્સ્યપરિવહન માટે રેફ્રિજરેટર વાન માટે 5 લાખની સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. વિનોદભાઇ મત્સ્યપાલક તરીકે બીજાને ત્યાં કામ કરતાં ત્યારે મહિને 10 થી 12 હજારની આવક મેળવતા હતા, જ્યારે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી પોતે “આત્મનિર્ભર” તો બન્યા છે સાથોસાથ અન્યોને પણ રોજગારી પૂરી પડી રહ્યા છે.fishermen-of-palitana-became-self-reliant-by-taking-advantage-of-state-government-schemes

આમ, મત્સ્યપાલનના દરેક તબક્કે સરકાર દ્વારા મળતી સહાયથી તેમણે આજે શૂન્યમાંથી સર્જન કર્યું છે. ભાવનગર મત્સ્યોદ્યોગ ખાતાના ઇન્ચાર્જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કે.વી.રામાણી જણાવે છે કે સરકારની વિવિધ યોજનાઓ અંગે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ ડ્રો મારફતે મત્સ્યપાલકને યોજનાઓ લાભ મળે છે. જેમાં જરૂરી વસ્તુની ખરીદી કર્યા બાદ તેની સ્થળ તપાસ કરીને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી સહાય ચૂકવવામાં આવે છે.

error: Content is protected !!