Sihor
સિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર મહેતાએ પરિસંવાદ કર્યો
![District Collector Mehta conducted a seminar on organic farming with farmers at Kanad village in Sihore](https://shankhnadnews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-24-at-10.15.55-AM.jpeg)
પવાર
ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની કામગીરીને જિલ્લા કલેક્ટરશ્રીએ બિરદાવી
સિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર શ્રી આર.કે. મહેતા એ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને પરિસંવાદ યોજ્યો હતો. જિલ્લા કલેકટર શ્રી આર.કે. મહેતા એ કનાડ ગામે રહેતા શ્રી રઘુભા ગોહિલના ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમની સફળતા માટેની અથાગ મહેનતને બિરદાવી હતી.
આ તકે ઉપસ્થિત આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સિહોર મામલતદાર શ્રી જોગસિંહ દરબાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) શ્રી જે. એન. પરમાર, નાયબ ખેતી નિયામક(વી) શ્રી એસ. બી. વાઘમશી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.