Talaja
તળાજા રાજ રાજેશ્વરી મહાકાળી માતાજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાવતી

પવાર
તળાજા ક્ષત્રિય વિર મિહિરજીરાવ પઢિયાર સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો નવરાત્રી મા ચૈત્ર સુદ ત્રીજે પ્રારંભ થયો હતો. સાતેય દિવસ ક્ષત્રિય પઢીયાર પરિવાર વાળાંક-નાઘેર તેમજ આમંત્રિત મહેમાનો એ સપ્તાહ નું રસપાન કર્યું હતું. તેમજ દશેરા ના દિવસે વર્ષો થી થતો માતાજી નો હવનયજ્ઞ પણ થઈ ગયો. સપ્તાહ ના સાતમા દિવસે ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ ના બ્લડ બેંક ના સ્ટાફ ના સહકાર થી રક્તદાન કેમ્પ યોજાયો તેમાં ૫૧ રક્તદાતા એ રક્તદાન કર્યું હતું. તેમજ તે દિવસે અતિથી વિશેષ મહેમાન શ્રી નેક નામદાર સાહેબ શ્રી ભાવેણા સ્ટેટ યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ પધાર્યા હતા. યુવરાજ સાહેબે બધા ને જય માતાજી કહીને વક્તવ્ય ની શરૂઆત કરી ને કહ્યું હતું કે
આપ સૌવ ક્ષત્રિય પઢિયાર પરિવારે મને અહીંયા ખુલ્લા દિલ થી આવકર્યો છે તેમનો હું આભારી છું. હું અહીંયા મહેમાન તરીકે નહિ પરંતુ આપણા જ પરિવાર ના સદસ્ય તરીકે આવ્યો છું. ભાગવત સપ્તાહ દરમિયાન સંતો,મહંતો ,મહુવા,તળાજા, જેસર,ભાવનગર,જૂનાગઢ,ઉના,કોડીનાર,વડોદરા જિલ્લા-તાલુકા ના ક્ષત્રિય રાજપૂત સમાજ ના આગેવાનો એ વિશેષ હાજરી આપી હતી,તેમજ રાજકીય આગેવાનો,સામાજિક કાર્યકર્તા ,શ્રી રાજપૂત કરણી સેના ના હોદ્દેદારો ,કિસાન સંઘ ના હોદ્દેદારો તેમજ અનેક ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ તેમજ સૌ આમંત્રિત મહેમાનોએ હાજરી આપી ને સપ્તાહ નું રસપાન કર્યું હતું.