Connect with us

Gujarat

મુખ્યમંત્રી – ગૃહમંત્રી દ્વારકામાં : દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા કરી

Published

on

chief-minister-home-minister-in-dwarka-reviewed-coastal-security

કુવાડિયા

દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે કરાયેલી કાર્યવાહીનું નિરીક્ષણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હર્ષદના સિદ્ધપીઠમાં શ્રી હરસિધ્ધિ માતાના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ.6.13 કરોડથી વધુના મૂલ્યની 14 લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી કરવા બદલ સમગ્ર દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રની સરાહના કરી હતી. પોલીસ અધિક્ષક નીતિશ પાંડેય તથા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ સંબંધિત વિસ્તારના નકશાઓ દ્વારા મુખ્યમંત્રીને ગેરકાયદેસર દબાણો અંગે કરાયેલા ડિમોલિશનની તમામ બાબતે માહિતગાર કર્યા હતા.

chief-minister-home-minister-in-dwarka-reviewed-coastal-security

ભીડભંજન ભૂવનેશ્વર મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા અને આસપાસના વિસ્તારોમાં ધ્વસ્ત કરાયેલા વિવિધ બાંધકામોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવા અને તમામ નાની નાની હિલચાલની સતર્કતાપૂર્વક નોંધ રાખવા ઉપસ્થિત અધિકારીઓને સ્થળ પર જ તાકીદ કરી હતી. તેમને હર્ષદ વિસ્તારના દરિયાઈ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા. તેમને જિલ્લાના હર્ષદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં શ્રી હરસિદ્ધિ માતાના દર્શન કરી માતા સમક્ષ ગુજરાતની પ્રજાના લોક કલ્યાણની કામના કરી હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી સ્તુતિ દ્વારા માતાજીની આરાધના કરી હતી. શ્રી જામ ધર્માદા ટ્રસ્ટના મેનેજર દ્વારા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનું શાલ ઓઢાડી તેમજ માતાજીની છબી અર્પણ કરી સન્માન કરાયું હતું.

chief-minister-home-minister-in-dwarka-reviewed-coastal-security

આ મંદિરના મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર હર્ષદના દરિયાકિનારા નજીક કોયલા ડુંગરની તળેટીમાં આવેલ આ શ્રી હરસિધ્ધિ મંદિર એક હજાર વર્ષ પુરાણું મંદિર છે. તેમજ કોયલા ડુંગર ઉપર આવેલ મહમદ ગજનીએ ખંડિત કરેલ શિવ મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું છે. આ મંદિરએ સિદ્ધપીઠ છે અને ઉજ્જૈન માતા શ્રી હરસિધ્ધિ બિરાજે છે તે શક્તિપીઠ છે. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યજી આ હરસિદ્ધિ માતાના પરમ ઉપાસક હતા. ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ આજ શ્રી હરસિધ્ધિ માતા છે. હરસિધ્ધિ માતાનો બાવન શક્તિપીઠમાં સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીશ એ કોયલા ડુંગર ઉપર માતા હરસિધ્ધિની ઉપાસના કરી હતી. આ તકે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી, જામ ધર્માદા ટ્રસ્ટના મેનેજર વિનોદકુમાર ક્યાડા, મંદિરના મેનેજર મિલનભાઈ પંડ્યા, વહીવટદાર અભયભાઈ ખિરા, ઓબ્ઝર્વર રવિશંકર શુક્લા, ડીજીપી વિકાસ સહાય, રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ, પ્રાંત અધિકારીઓ પાર્થ કોટડીયા અને પાર્થ તલસાણીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર.પરમાર, ડીવાય.એસ.પી. સમીર સારડા, કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!