Bhavnagar
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પુસ્તક વિતરણ
કુવાડિયા
ભાવનગર ખાતે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત નિઃશુલ્ક પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેરના નારાયણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઉદયભાઈ દવે ના જન્મદિવસ નિમિતે દાતાશ્રીઓ દ્વારા નિઃશુલ્ક મળેલા પુસ્તકોની મદદથી આયોજિત ‘પુસ્તક મેળા’ માં પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી
અને નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સમાજસેવાના કાર્યને બિરદાવ્યું આ પુસ્તક મેળા માટે નિઃશુલ્ક પુસ્તકો આપનારા તમામ દાતાશ્રીઓને આ ભગીરથ કાર્યમાં જોડાવા બદલ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી