Connect with us

Sihor

સિહોર ખાતે અજય શુકલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજની મિટિંગ મળી

Published

on

A meeting of the Saurashtra Kutch Brahmo Samaj was held at Sihore under the chairmanship of Ajay Shukal

દેવરાજ

સમગ્ર જિલ્લામાંથી બ્રહ્મસમાજના આગેવાનોની મિટિંગમાં ઉપસ્થિતિ, આગામી કાર્યક્રમ અને સમાજના ઉથ્થાન માટેની વિશેષ ચર્ચા

સિહોર ખાતે આજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ભાવનગર જિલ્લાની મિટિંગ શ્રી અજયભાઈ શુક્લ નાં અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી દિપકભાઈ જાની નાં નેતૃત્વ મળેલ જેમાં આગામી આયોજન અને વ્યવસ્થા લક્ષી જવાબદારીઓ સોંપવામાં માટે નોંધણી ઠરાવ કરેલ તેમાં ભાવનગર જીલ્લા નાં વિવિધ તાલુકા અને ગ્રામ્ય નાં હોદેદારો ઉપસ્થિત રહેલ જેમાં સનોસરા, ઉમરાળા, રંઘોળા, ઘોળા, તળાજા, પાલીતાણા, સિહોર નાં આગેવાનો ઉપસ્થિત રહી પોતાના મંતવ્યો રજૂ કરેલ. આગામી ટ્રસ્ટી અને જિલ્લા પ્રમુખ ની નિમણૂંક નાં ઠરાવો પસાર કરી ટ્રસ્ટી મંડળ ને મોકલી આપવામાં આવેલ.

A meeting of the Saurashtra Kutch Brahmo Samaj was held at Sihore under the chairmanship of Ajay Shukal

આ પ્રસંગે સિહોર બ્રહ્મસમાજ નાં વડીલો, શ્રી કિશનભાઇ મહેતા, અલ્પેશભાઈ ત્રિવેદી, ડો. પ્રશાંતભાઈ આસ્તિક, ડો. રાજુભાઈ પાઠક, સંતશ્રી નાનુંબાપુ, ભરતભાઈ મહેતા, હર્ષદભાઈ રાજ્યગુરુ, ચુનીદાદા ત્રિવેદી, સાનોસરા થી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ જાની, સોનગઢ થી અમિતભાઈ ત્રિવેદી, રંઘોળા થી પંડિત નવીનભાઈ પંડિત જયેશભાઈ, ઉમરાળા થી અતુલભાઈ ત્રિવેદી, વલભીપુરથી કિરીટભાઈ શુક્લ, જેવા અનેક ગણમાન્ય વડીલો અને યુવાન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ અને ઠરાવ નું અનુમોદન કરેલ

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!