Sihor
સિહોર ખાતે આગામી ગુરૂવારે પવન ફાઉન્ડેશનના નેજા હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરાશે
![A blood donation camp will be organized at Sihore next Thursday under the auspices of Pawan Foundation](https://shankhnadnews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-03-at-8.40.13-PM.jpeg)
બુધેલીયા
- લોકોને મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ, સાઈનાથ ક્લિનિક ખાતે યોજાશે રક્તદાન કેમ્પ
સિહોરના નામાંકિત તબીબ ડો.નરદીપસિંહના માર્ગદર્શન નીચે પવન ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું યુવાનો દ્વારા ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આગામી તા 5-1-2023ના રોજ સિહોરના જાગૃત યુવાનો દ્વારા એક ગ્રુપ ચાલે છે જેમાં પવન ફાઉન્ડેશન યુવાન જય ડોડીયાના જન્મદિવસ નિમિતે એક સેવાકીય કાર્ય કરી યુવાનો બ્લડ ડોનેશન નું આયોજન કર્યું છે ત્યારે સિહોરની જનતાને પવન ફાઉન્ડેશન દ્વારા મોટી સંખ્યમાં લોકોને સહભાગી બનવા અનુરોધ કરાયો છે.સિહોર યુવાધન દિવસે ને દિવસે જાગૃતા તરફ આગળ વધી રહ્યું છે અને પ્રેરણાદાયી કાર્યમાં અવિરત આગળ વધી રહ્યું છે
ત્યારે જય ડોડીયા ના જન્મદિવસ નિમિતિ સિહોરની જનતાને મોટી સંખ્યામાં લાભ લેવા પવન ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરાયો છે આજે એક યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિ ઘર કરતી જાય છે ત્યારે સિહોરના યુવાનો માં માનવતાંની સંસ્કૃતિ તરફ આગળ વધતું જાય છે ત્યારે લોકો દ્વારા પણ આ આયોજનને સહિયોગ મળતા યુવાનો નો ઉત્સાહ વધ્યો છે ત્યારે તારીખ :- 5-01-2023 ના રોજ સવાર ના રોજ 10 કલાકથી 2 સુધી સિહોરના નામકીત ડોકટર ડો.નરદીપસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ સાઈનાથ ક્લિનિક ખાતે બ્લડડોનેશન કેમ્પ ચાલું થશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.