Sihor
પાણીની સમસ્યાનો આવશે અંત – સિહોર ગૌતમેશ્વર તળાવને સૌની યોજના હેઠળ ભરવાના પ્રયાસો ; નગરપાલિકા પ્રમુખની મુખ્યમંત્રી સાથે થઈ મુલાકાત

પવાર
- સિહોર નગરપાલિકા પ્રમુખ દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા માટે કાર્યકાળના અંતિમ દાયકામાં પણ પુરી મહેનત લગાવી રહ્યા છે
સિહોરમાં પીવાના પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન છે જેને નિવારણ કરવા પહેલા પણ અનેક વખત નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા અનેક રજુઆત સરકાર ને કરી હતી. તેમના પાણીના પ્રશ્ન માટે તેઓ સજાગ બનીને સિહોરીજનો ની આ સમસ્યા ને દૂર કરવા પોતાના કાર્યકાળ ના અંતિમ સમયગાળામાં પણ મહેનત કરી રહ્યા છે.
ત્યારે ઉનાળો આવીને બેઠી ગયો છે ત્યારે સિહોરના ગૌતમેશ્વર તળાવમાં સૌની યોજના હેઠળ નવાનીર લાવવામાં આવે જેથી આખો ઉનાળો સિહોરની જનતાને પાણી માટે વલખા મારવા ન પડે તે માટે તેઓ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી ભુપેદ્રભાઈ ને રૂબરૂ મળી ને સિહોરની જનતાની વર્ષોની ચાલી આવી રહેલી પાણીની સમસ્યા અંગે સંપૂર્ણ રજુઆત કરીને વહેલી તકે સિહોરના ગૌતમેશ્વર તળાવ સુધી નવા નીર પહોંચે તેવી રજૂઆત કરી હતી. આ તકે મુખ્યમંત્રી પટેલ દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખવી ને સિહોરની જનતાની પાણીની સમસ્યાઓ નું સુખરૂપ સમાધાન થઈ તેવું જણાવ્યું હતું.
આ તકે નગરપાલિકા પ્રમુક વિક્રમભાઈ ના અઢી વર્ષના દાયકા માં અનેક કામો સિહોરીજનો ના હિતમાં કરવામાં આવ્યા છે ત્યારે પોતાના કાર્યકાળ ના અંતિમ પડાવમાં પણ તેઓ સતત ને સતત પ્રજાની સમસ્યાની ચિંતામાં રહીને બને એટલું ઝડપી નિરાકરણ થઈ શકે તેવા પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહેલા છે જે તેમને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા બતાવી રહ્યું છે. જે અભિનંદનને પાત્ર છે.