Connect with us

Sihor

હરિયાણાના મેવાતમાં યાત્રા પર હુમલાના વિરોધમાં સિહોરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ દર્શાવ્યો

Published

on

vishwa-hindu-parishad-and-bajrang-dal-protest-in-sihore-against-attack-on-yatra-in-haryanas-mewat

પવાર

હરિયાણાના મેવાતમાં હિન્દુઓની યાત્રા પર જેહાદી તત્વોએ હુમલો કરતા દેશભરના હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સિહોરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પદયાત્રા, રેલી, રામધૂન યોજી રસ્તા પર ઉતરીને જેહાદી તત્વોનો વિરોધ કરવામાં આવ્યો હતો. હરિયાણાના મેવાતમાં હિન્દુઓની ધાર્મિક યાત્રા પર થયેલા હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિન્દુ યાત્રા પર જેહાદી માનસિકતા ધરાવતા તત્વોએ હુમલો કરી અનેક વાહનોને આગ ચંપિ કરી મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેમજ હરિયાણાના કોમી હિંસાના પ્રત્યાઘાતો દેશના અલગ અલગ ભાગોમાં પડી રહ્યા છે.

vishwa-hindu-parishad-and-bajrang-dal-protest-in-sihore-against-attack-on-yatra-in-haryanas-mewat

ત્યારે આજે સાંજે સિહોરમાં આ ઘટનાને વખોડવા બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટાવરચોક ખાતે એકઠા થઈ પદયાત્રા, રેલી, રામધૂન યોજી રસ્તા પર ઉતરીને જેહાદી તત્વોનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ વેળાએ યુવકોએ આતંકવાદ વિરોધી નારા લગાવી જેહાદી તત્વોને પકડી કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા જણાવ્યું હતું કે, હરિયાણામાં હિન્દુ ધર્મની જળાભિષેક યાત્રા પર આતંકવાદી માનસિકતા ધરાવનાર તત્વોએ તીક્ષ્ણ હથિયાર અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આવી માનસિક્તા ધરાવનાર અને ષડયંત્ર રચનાર તમામ લોકોને ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર હિન્દુ સમાજની માંગ છે.

error: Content is protected !!