Health
આયર્નની ઉણપ દૂર કરવા હવે કરો આ શાકભાજીમાં અજમાનો ઉપયોગ

એનિમિયા એ એવી સ્થિતિ છે કે જેમાં શરીર પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણો ઉત્પન્ન કરતું નથી. એનિમિયાનું સૌથી સામાન્ય લક્ષણ આયર્નની ઉણપ અથવા શરીરમાં આયર્નનું અપૂરતું શોષણ છે.એનિમિયા સંપૂર્ણપણે તમારા આહાર પર નિર્ભર કરે છે,મોટાભાગના પુખ્ત વયના લોકોએ દરરોજ 7 થી 18 ગ્રામ આયર્નનું સેવન કરવું જોઈએ. જો તમે શાકાહારી અથવા ગર્ભવતી હો, તો તમારે તમારા આહારમાં આયર્નની માત્રા વિશે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા અથવા તેનું શોષણ સુધારવા માટે તમે તમારા આહારમાં કયા ફૂડ કોમ્બિનેશનનો સમાવેશ કરી શકો છો.લીલા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, ફોલિક એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે. જો તમે આમળા, લીંબુનો રસ તેના રસમાં ભેળવીને પીવો છો, તો તે શરીરમાં આયર્નને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.
શાકભાજીમાં અજમાનો ઉપયોગ
જો તમે આયર્નથી ભરપૂર શાકભાજીને વધુ લાભકારી બનાવવા માંગતા હોવ તો તેમાં અજમા ચોક્કસથી ઉમેરો. વાસ્તવમાં, જ્યારે તમે શાકભાજી સાથે અજમાનું સેવન કરો છો, ત્યારે આયર્નનું અવશોષણ પણ વધુ સારું થાય છે. તમે અજમાને રોટલીમાં નાખીને પણ ખાઈ શકો છો.
દાળમાં હિંગનો ઉપયોગ
અત્યાર સુધી તમે હિંગ વડે સ્વાદ વધારવાનું કામ કર્યું છે, પરંતુ જો તમે દાળમાં રહેલા આયર્નની માત્રાને શરીરમાં વધારવી હોય તો હિંગનો વધાર કરો. બ્લડ સર્ક્યુલેશનને સુધારવાની સાથે તે લોહીને પાતળું પણ કરે છે.
કિસમિસ અને કોળાના બીજનો ઉપયોગ
કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સાથે જ કિસમિસમાં આયર્નની માત્રા પણ સારી હોય છે. જો તમે આ બંનેને એકસાથે ખાશો તો લોહીની ઉણપને દૂર કરવામાં ઘણો ફાયદો થાય છે.
લીંબુ પાણીનો ઉપયોગ
જો તમે આયર્ન સપ્લિમેન્ટ અથવા ગોળીઓ લઈ રહ્યા છો, તો તેની સાથે લીંબુ પાણી લો. કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આમ કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે અને શરીરમાં આયર્નનું શોષણ વધુ સારું થાય છે.