Gujarat
રાજ્યના 22 પીઆઇની બદલીના આદેશ : જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

પવાર
વડોદરાના જે.એમ. જાડેજાને પૂર્વ ગાંધીધામ, વી.એલ. સાકરિયાને બોટાદમાં મુકાયા :રાજકોટમાં કે.એન. ભુકાણને અમદાવાદમાં અને વી.એન. મહિલાની ખેડા ખાતે અને ભરૂચના આર, જે, ગોહીલની નર્મદા ખાતે બદલી
ડીજીપી કચેરીએ ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલીના આદેશ કર્યા છે , ડીજીપી વિકાસ સહાય દ્વારા 22 પીઆઇની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે.
આ સિવાય કે.એન. ભુકાણ જેઓ હાલમાં રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.