Connect with us

Gujarat

સૌરાષ્ટ્ર ઝોનનાં 11 જિલ્લાઓની જવાબદારી વાય.એમ. ચાવડાને સોંપાઇ

Published

on

the-responsibility-of-11-districts-of-saurashtra-zone-is-y-m-handed-over-to-chavda

તૂટતા પુલ અને રસ્તાઓની ગુણવતા સુધારવા

પવાર
સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ અને પુલોના બાંધકામ માં ભયંકર ભ્રષ્ટાચારના કારણે તૂટી પડવાની ઘટનાઓ બનતા રાજ્ય સરકાર હરકતમાં આવી જતા મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ માં સત્તા નું વિકેન્દ્રી કરણ અને સાથોસાથ અધિક સચિવ કક્ષાના ત્રણ મુખ્ય ઇજનેર અધિકારીઓ ની નિમણુંક કરી. તેમને વધુ જવાબદાર બનાવવાના પગલા ભરેલ છે. અધિક સચિવ કક્ષાના ત્રણ મુખ્ય ઇજનેરની વિવિધ ક્ષેત્રો માં નિમણુંક કરી દક્ષિણ ગુજરાત. ઉત્તર ગુજરાત.the-responsibility-of-11-districts-of-saurashtra-zone-is-y-m-handed-over-to-chavda અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ અધિકારીઓ ને હવે અલગ અલગ જીલ્લાઓ ની જવાબદારીઓ સોંપાઈ છે. આ નિમણુંક કરાયેલ અધિકારીઓ ને સપ્તાહ ના ત્રણ દિવસ સોંપાયેલ ફિલ્ડ માં જઇ માર્ગ અને મકાન વિભાગ ની ચાલતી તમામ કામગીરી નું સ્થળ નિરીક્ષણ કરવાનું રહેશે અને તેનો નિયમિત પણે સરકાર માં રીપોર્ટ કરવાના રહેશે.. એ મુજબ સૌરાષ્ટ્ર ઝોન ના 11 જીલ્લાઓ ની જવાબદારી મુખ્ય ઇજનેર અને અધિક સચિવ વાય.એમ.ચાવડા ને સોંપવામાં આવેલ છે. એ વાત અહિંયા ઉલ્લેખનીય છે કે વાય.એમ.ચાવડા ભાવનગર પાસેનાં ઘોઘાબંદર ના વતની છે. તેમની આ નિમણુંક ભાવનગર પંથક માટે ગૌરવરુપ બની રહી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!