Connect with us

Sihor

સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે શ્રી શિવ મહાપુરાણનું જ્ઞાનમય વિજ્ઞાનમય ગાથાનો આરંભ થશે

Published

on

the-gnanamaya-vigyanamaya-gatha-of-sri-shiv-mahapuran-will-begin-at-bandhan-party-plot-in-sihore

દેવરાજ

  • અધિકમાસમાં ભક્તિનો અનેરો લાભ લેવા સિહોરીજનોને અનુરોધ

સિહોરના આંગણે અધિક શ્રાવણ માસ નિમિતે આગામી તારીખ ૮/૮/૨૦૨૩ થી ૧૬/૮/૨૦૨૩ ના રોજ કલાનગરિ નવનાથ ભૂમિ છોટે કાશી પવિત્ર પુણ્ય શાળી અધિક શ્રાવણ માસ માં સિહોર શહેર ના આંગણે બંધન પાર્ટી પ્લોટ ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ વિજ્ઞાનમય ગાથા નું આયોજન થનાર છે,જેમાં વ્યાસપીઠ પર બિરાજી શ્રી જે.વી.ધાનાણી સાહેબ તેમની પ્રભાવશાળી વાણીમાં વેદ અને વિજ્ઞાન ને સાંકળીને સિહોર ની પાવન ધરતીની ગરિમા વિશ્વના ફલક સુધી પહોંચાડવા શ્રી શિવ મહાપુરાણ ના માધ્યમ થી એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે

the-gnanamaya-vigyanamaya-gatha-of-sri-shiv-mahapuran-will-begin-at-bandhan-party-plot-in-sihore

અને ખરા અર્થમાં છોટે કાશીના બિરુદ ને આધ્યાત્મિક દૃષ્ટિ કોણ થી ઉજાગર કરવાનો એક સહિયારો પ્રયાસ થનાર છે,જે અંતર્ગત તેમના સફળ આયોજન માટે આજ રોજ બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજન બેઠક યોજવામાં આવી હતી,જેમાં જે.વી.ધાનાણી સાહેબ,મનુભાઈ ચાવડા, ગૌવેદ રક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેશભાઈ ભટ્ટ,યુવા યુગ પરીવર્તન સંગઠનના મલયભાઈ રામાનુજ,રવિભાઈ બારૈયા,નિવૃત્ત કર્મચારી મંડળ ના ભૂપતસિંહ વાળા,ભગવાન નું ઘર સંસ્થા ના મહેશભાઈ કળથીયા,વિક્રમભાઈ ગઢવી,ચંદુભાઈ ગઢવી,નટુભાઈ હરસોરા,રાજુભાઈ ગોટી વિગેરે સામાજિક આગેવાનો એકત્રિત થયા હતા.

error: Content is protected !!