Sihor
સિહોર જગદીશશ્વરાનંદ સોસાયટી ખાતે ચાલતી શિવકથાની પૂર્ણાહુતિ

પવાર
સિહોર જગદીશશ્વરાનંદ સોસાયટી ખાતે તા.22.02.23 થી તા.02.03.23 નવ દિવસ સુધી થાપનાથ મહાદેવના મહંત અને યુવા કથાકાર પરેશગીરી બાપુના મુખેથી શિવકથાનું રસપાન કરવામાં આવ્યું હતું જેમાં જગદીશશ્વરાનંદ સોસાયટી, સ્વસ્તિક સોસાયટી નં-2, ગોપાલનગરના ભાવિક ભક્તો શિવરંગે રંગાયા હતા. તેમજ શિવકથાના સતી પ્રાગટય, શિવ પાર્વતી વિવાહ, 12 જ્યોતિરલિંગ પૂજા વગેરે પ્રસંગો પણ ઉજવાય હતા. રાત્રી દરમિયાન રામ દરબાર, ભજન સંધ્યા, રામધૂન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.
પૂર્ણાહુતિ દીને પોથીયાત્રામાં પણ લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને રાસની રમઝટ અને ગલાલ સાથે ડીજેના તાલે હર્ષોઉલ્લાસ સાથે શિવકથાની ભાવપૂર્ણરીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેમજ કથાના નવમા દીને લોકસાહિત્યકાર અને શિક્ષણવીદ્દ એવા મહેશદાન ગઢવી દ્વારા પોતાની આગવી શૈલીમાં શિવકથાના પ્રસંગોને જીવનમાં વણી લેવા તેમજ જીવનના ઝેરને કેમ ગ્રહણ કરવું એ બાબતે સંકલ્પ પણ લેવડાવ્યા હતા. તેમજ વક્તા દ્વારા સમાજમાં એકતા અને સંપ વધે તેવા વ્યાસપીઠ પરથી વચનો લેવડાવ્યા હતા.