Connect with us

Sihor

સિહોરવાસીએ મન કી બાતનો 100 મો એપિસોડ નિહાળ્યો, મન કી બાત ભગવાનના રૂપમાં જનતા જનાર્દનના ચરણોમાં પ્રસાદના થાળ સમાન ; મોદી

Published

on

Sihorvasi watched the 100th episode of Mann Ki Baat, Mann Ki Baat in the form of Bhagwan as a plate of prasad at the feet of Janata Janardhan; Modi

પવાર

2014માં વિજયા દશમીના દિવસથી મન કી બાત કાર્યક્રમ શરુ કરાયો હતો સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેનું લાઈવ પ્રસારણ : સિહોર શહેરના તમામ બુથમાં કાર્યકર્તાઓ અને નગરવાસીઓએ નિહાળ્યો મન કી બાતનું લાઈવ પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત’માં દેશવાસીઓને સંબોધિત કરતા મોટી શીખ આપી હતી. મન કી બાત’નો આ 100મો એપિસોડ ખૂબ જ ઐતિહાસિક હતો. જેમાં દેશભરમાં વિશેષ સ્ક્રીનિંગથી માંડીને અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં જીવંત પ્રસારણનો સમાવેશ થાય છે.

Sihorvasi watched the 100th episode of Mann Ki Baat, Mann Ki Baat in the form of Bhagwan as a plate of prasad at the feet of Janata Janardhan; Modi

ત્યારે આજે સિહોર શહેરમાં આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મન કી બાત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપ્રમુખ હર્ષદભાઈ દવે, શહેર પ્રમુખ ડી સી રાણા, રાકેશભાઈ છેલાણા, ઘનશ્યામભાઈ પરમાર, સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને મહિલા પાંખ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સિહોર શહેરના વિવિધ બુથોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં હર્ષદભાઈ દવે, ડી સી રાણા, રાકેશભાઈ છેલાણા, ઘનશ્યામભાઈ પરમાર, દીપ્તિબેન ત્રિવેદી, સહિતના અગ્રણીઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સ્થળે હાજરી આપી હતી. વડાપ્રધાને કહ્યું મન કી બાત કોઇ કાર્યક્રમ નથી. તે મારા માટે શ્રદ્ધા , પૂજા અને વ્રત છે. લોકો ભગવાનની પૂજા કરવા જાય છે ત્યારે તેઓ પ્રસાદનો થાળ લઈને આવે છે. મન કી બાત ભગવાનના રૂપમાં જનતા જનાર્દનના ચરણોમાં પ્રસાદના થાળ સમાન છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા.

Sihorvasi watched the 100th episode of Mann Ki Baat, Mann Ki Baat in the form of Bhagwan as a plate of prasad at the feet of Janata Janardhan; Modi

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ. યુપીના સીએમ યોગી આદિત્યનાથ , એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ દેશના અલગ અલગ સ્થળોએ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100 મો એપિસોડ 30 એપ્રિલે સવારે 11 વાગ્યે પ્રસારણ કરવામાં આવ્યો છે.’મન કી બાત’ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે દરેક એપિસોડ ખાસ રહ્યો છે. દર વખતે નવા ઉદાહરણની નવીનતા દેખાઇ. PM મોદીએ કહ્યું કે મન કી બાત ના આ કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણેથી લોકો તમામ વયજૂથના લોકો જોડાયા છે

Advertisement
error: Content is protected !!