Sihor
સિહોર : નિચાકોટડા ગામે પિતાની હત્યા કરી ફરાર થઈ ગયેલ કપાતર પુત્રને ગણતરીની કલાકમાં LCBએ દબોચ્યો

Pvar
સિહોર ; દાઠા તાબેના નિચાકોટડા ગામે એક પુત્રએ સગા બાપનું નિંદ્રાધિન અવસ્થામાં ઢીમ ઢાળી નાસી છુટ્યો હતો. જેને એલસીબીએ ગણતરીના કલાકોમાં ગામની સીમમાંથી ઝડપી લોકઅપ હવાલે કરી પુછતાછ હાથ ધરી છે. મહુવા તાલુકાના દાઠા ગામે કોઈ અકળ કારણોસર પુત્રએ સગા બાપની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે હત્યારા પુત્રની ગામની સીમમાંથી ધડપકડ કરી હતી.
જેમાં હકીકત એવાં પ્રકારે જાણવા મળી છે કે નિચાકોટડા ગામે રહેતા અને ખેતી કામ કરતાં દિનેશ વિઠ્ઠલભાઈ ભીલની તેની વાડીએ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં જસમત રમેશભાઈ ભીલએ મૃતકના પુત્ર વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા દાઠા પોલીસ તથા ભાવનગર એલસીબી ની ટીમે ગણતરીના કલાકોમાં દાઠા ગામની સીમમાંથી આરોપી ઘનશ્યામ દિનેશ ભીલ ઉ.વ.18 ની ધડપકડ કરી દાઠા પોલીસ સ્ટેશનના લોકઅપમાં ધકેલી પુછપરછ હાથ ધરી હતી આ હત્યારા પુત્રને આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરાશે.