Sihor
સિહોર શ્રી જૈન સમાજ દ્વારા પછાત વિસ્તારોના ગરીબોમાં મીઠાઈ અને ફ્રૂટ વિતરણ કર્યું
![Sihor Shree Jain Samaj distributed sweets and fruits among the poor in backward areas](https://shankhnadnews.com/wp-content/uploads/2023/03/IMG-20230320-WA0046.jpg)
પવાર
પાલીતાણા તીર્થે શ્રી ઋષભદેવ પરમાત્માના મંગલકારી શ્રી જન્મ તથા દીક્ષા કલ્યાણક ઉજવણી અંતર્ગત ખુશાલી પ્રસંગે શ્રી જૈન સમાજ દ્વારા પાલીતાણા તથા આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ની ૨૦ થી વધુ સ્કુલોના બાળકો ને તથા સિહોર જૈન સમાજ દ્વારા સંચાલીત શ્રી વીર બજરંગ ખીચડી ભંડાર ના ઉત્સાહી જૈન યુવાનો દ્વારા સિહોર શહેર તેમજ સ્લમ વિસ્તાર માં ઝૂપડપટ્ટી તેમજ ગરીબો ને ઉત્તમ પ્રકારની મીઠાઈઓ તથા તેમજ ૫૦૦ કિલો આરોગ્ય દાયક ફળોનું વિતરણ કરવામાં આવેલ.
જેમાં જૈનસમાજ ના અગ્રણી તેમજ દેરાસર ના પૂજારી ધનવંતભાઈ શાહ, ની ખાસ ઉપસ્થિત તેમજ જૈન સમાજ ના આગેવાનો,સમાજ શ્રેષ્ઠીઓ,આગેવાનો , મહાનુભાવો, વડીલો,તેમજ યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા