Connect with us

Bhavnagar

ભાવનગર ખાતે બેઠકમાં વડાપ્રધાન શ્રી દ્વારા થતી ‘મન કી બાત’ સાથે વિવિધ કાર્યક્રમો માટે થયેલ સમિક્ષા અને આયોજન ચર્ચા

Published

on

Review and planning discussion for various programs with 'Mann Ki Baat' held by Prime Minister Shri in a meeting at Bhavnagar

ભાજપનું લક્ષ્ય એક એક કાર્યકરની ખંતથી જન જનનું કલ્યાણ થાયReview and planning discussion for various programs with 'Mann Ki Baat' held by Prime Minister Shri in a meeting at Bhavnagar

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ બેઠકમાં મોવડીઓએ ભાજપનું લક્ષ્ય એક એક કાર્યકરની ખંતથી જન જનનું કલ્યાણ થાય તે હોવાનું જણાવ્યું. ભાવનગર ખાતે વડાપ્રધાન શ્રી દ્વારા થતી ‘મન કી બાત’ સાથે વિવિધ કાર્યક્રમો માટે થયેલ સમિક્ષા અને આયોજન ચર્ચામાં હોદ્દેદારો જોડાયા હતા. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંબોધન કરતાં મોવડીઓએ ભાજપનું લક્ષ્ય એક એક કાર્યકરની ખંતથી જન જનનું કલ્યાણ થાય તે હોવાનું જણાવ્યું. પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાએ જિલ્લા ભાજપના વિવિધ કાર્યક્રમો રચનાત્મક રહ્યાનું જણાવ્યું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ પ્રસારણ માટે કાર્યકર્તાઓ સાથે છેવાડા સુધી પહોંચ્યાનો રાજીપો જણાવ્યો. Review and planning discussion for various programs with 'Mann Ki Baat' held by Prime Minister Shri in a meeting at Bhavnagarતેઓએ તાજેતરમાં વડાપ્રધાન શ્રીના સુશાસનના નવ વર્ષ કામગીરીની સફળતા માટે ઉજવણીમાં સામેલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ શાસનની વૈશ્વિક મંચ પર લેવાયેલી નોંધને સૌના માટે ગૌરવરૂપ ગણાવેલ. કાર્યકરો દ્વારા માત્ર ચૂંટણીલક્ષી નહિ પરંતુ સમાજ અને સૌના હિત માટે સતત ચાલતા વૃક્ષારોપણ, સ્વચ્છતા વગેરે કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો. તેઓએ લોકસભાની આગામી ચૂંટણી સુધી સૌને સતત કાર્યરત રહેવા જણાવ્યું. ભાજપ રાષ્ટ્રિય અ.જા. મોરચાના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયાએ લોકોને ઉપયોગી અને પક્ષની માર્ગદર્શિકા સાથે નવતર અને પ્રેરક કાર્યક્રમો માટે જિલ્લા ભાજપને અભિનંદન પાઠવ્યા. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહીર તથા જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા દ્વારા સંગઠન સાથે આગામી કાર્યક્રમો માટે ખભેખભા મિલાવી કામે લાગ્યા રહેવાની વાત કરી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, ધારા સભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે જિલ્લા ભાજપના પાયાના વડીલ અગ્રણીઓ સાથે વર્તમાન હોદ્દેદારો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. ‘મન કી બાત’ પ્રસારણ સંદર્ભે જિલ્લાના સંયોજક શ્રી નાનુભાઈ ડાખરાએ વિગતવાર સમયપત્રક સાથે આયોજન રજૂ કર્યું જેમાં શ્રી મહેન્દ્રભાઈ પનોત દ્વારા વિગત ઉમેરો કરવા સાથે તમામ જવાબદારોને તેમની સક્રિય ભૂમિકા માટે અનુરોધ કર્યો હતો

error: Content is protected !!