Sihor
રથયાત્રા કાઉન્ટ ડાઉન અંતિમ તબક્કામાં ; સિહોરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ડીવાયએસપીની આગેવાનીમાં બેઠક યોજાઈ

પવાર – દેવરાજ
સિહોર શહેરમાંથી નિકળનારી જિલ્લાની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સફળ બનાવવા આજે રવિવારે સાંજે શહેરના લીલાપીર વિસ્તારમાં ખાતે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇની હાજરીમાં મહોલ્લા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં રાજકીય-સામાજિક આગેવાનો, વેપારીઓ સહિતના ખાસ કરી મુસ્લિમ સમાજના પ્રબુધ્ધ નગરજનોએ હાજરી આપી હતી.
ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને મળેલી આ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા ને લઈને મંતવ્યો રજૂ કરવા આવ્યા હતા કાયદો વ્યવસ્થાને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાઈચારાની ભાવના સાથે રથયાત્રા સંપન્ન બનશે તેવી ખાતરી આપી હતી. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસનો મોટો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાન તરીકે હનીફભાઈ રાધનપુરા, નૌશાદ કુરેશી, રજાકભાઈ તેમજ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનો દ્વારા પણ ખાતરી આપવામાં આવી હતી કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુલેહ શાંતિ અને ભાઈચારાની ભાવનાથી આ રથયાત્રા પૂર્ણ થશે લીલાપીર વિસ્તારમાં સમાજની વાડી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વિશાળ સંખ્યામાં લઘુમતી સમાજ તેમજ કોમી એકતા એખલાસ ના દર્શન થયા હતા જે અંગે આ સિહોર રથયાત્રા માં પાલનપુર SRP ગ્રુપ.નં.૩ ના DYSP આર.એલ ડાંખરા ,પાલીતાણા સી.પી. આઇ ભાચકન.સિહોર PSI બી.કે ગૌસ્વામી સાહેબો ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ બેઠક યોજાઇ હતી.
જેને લઈ પોલીસ અધિકારીઓ દ્વારા આ સુમેળ વાતાવરણ અને લઘુમતી સમાજ દ્વારા જણાવેલ કે અમો પણ તન.મન અને ધન થી સહકાર આપીશું તેમજ અમારા સમાજ દ્વારા રથયાત્રા નું ફૂલહાર થી સન્માન,ઠંડા પાણી સરબત સુવિધા સહિત કરતા હોઈએ છીએ જે રાબેતા મુજબ અમો ભગવાન શ્રી જગન્નાથજી તેમજ આયોજક સહિત ફૂલહાર થી સનમાન કરવામાં આવશે તેમજ અમો તંત્ર ને ખાત્રી આપી એ છીએ કે અમારો સહકાર આપીશું જે અંગે અધિકારી ઓ ખુશ થયા હતા અને પીએસઆઇ ગૌસ્વામી સાહેબ દ્વારા લઘુમતી સમાજ નો આભાર વ્યક્ત કરેલ બેઠકમાં સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ના આગેવાનો લીલાપીર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.