Sihor
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ; સિહોરના ઉખરલા ખાતે આવેલ વાગડીયા દાદા મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

કુવાડિયા
મણીયાર પરિવાર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો, ગામમાંથી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, વાગડીયા દાદા અને જેતબાઈ માતાનો 900 વર્ષ જૂનો ઇતિહાસ, સમસ્ત ગ્રામજનોએ પ્રસાદ લાભ લીધો
સિહોરના ઉખરલા ગામે સમસ્ત મણીયાર પરિવાર આયોજિત 900 વર્ષ જૂનો ઇતિહાસ છે તેવા વાગડીયા દાદા મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો છે. જેમાં સમસ્ત ગામમાંથી વાજતે-ગાજતે ડી.જે ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉખરલા ખાતે આવેલ વાગડીયા દાદાના મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે સમસ્ત મણીયાર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વેદ પાઠી બ્રાહ્મણો દ્વારા મંદિરનો વાસ્તુ તથા દાદાના પ્રતિષ્ઠા યજ્ વિધિ દ્વારા મંદિરમાં દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રોચ્ચાર અને હોમ-હવન તેમજ ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવાયો હતો. જેમાં સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામમાંથી દાદાના મંદિર સુધી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને બાદમાં ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. આ તમામ કાર્ય વખતે મણીયાર પરિવાર ઉપરાંત આજુબાજુ વસતા બધા જ સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.