Sihor
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ન્યાય મંદિર ખાતે લીગલ કનઝ્યુમર પ્રોટેક્શન ફોરમ ના પ્રેસિડેન્ટ શ્રી એચ.જે જોષીના અઘ્યક્ષ સ્થાને યોજાઇ.
હરિશ પવાર
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ સિહોર બાર એસોિયેશન સયુંકત ઉપક્રમે લીગલ કનઝયુમર ના પ્રેસિડેન્ટ એચ. જે જોષી ના અઘ્યક્ષ સ્થાને શિબિર સિહોર ન્યાયમંદિર ખાતે યોજાઇ હતી. જેમાં સિહોર બાર એસસિયેશનના પ્રમુખ કમલેશભાઈ રાઠોડ, તેમજ તમામ હોદેદારો તેમજ ધારાશાસ્ત્રીઓ ની ઉપસ્થિતિ માં ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રાહક અદાલત તમારી રક્ષક જે અંગે ક્યાં પ્રકારની ફરિયાદો ગ્રાહક કમિશનમાં દાખલ થઈ શકે તે અંગે ની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ .
નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ ઉપયોગ અને બજારનો રાજા બને જે અંગે ગ્રાહક અદાલત તમારી રક્ષક ના શીર્ષક હેઠળ ક્યાં પ્રકારની ફરિયાદો ગ્રાહક કમિશન ખાતે દાખલ થઈ શકે જે અંગે વિસ્તૃત જોષી સાહેબ દ્વારા વકીલો ને માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં તબીબી સારવાર માં બેદરકારી,બેન્કિંગ,નોન બેન્કિંગ,અને ફાઇનાન્સ સર્વિસ ખામી,ઓનલાઇન માં થતી
છેતરપિંડી રિયલ એસ્ટેટ સર્વિસખામી, ટેલિકોમ સર્વિસ ખામી,વસ્તુની ગુણવતા માં રહેલી ખામી,રેલ્વે સર્વિસ ખામી,શિક્ષણ સબંધિત ખામી, પોસ્ટની સર્વિસ,ટુરિઝમ સર્વિસ સહિત વિગેરે .જાગૃત ગ્રાહક સુરક્ષીત ગ્રાહક જેમાં ખાસ ગ્રાહકોએ ગુણવતા ના પ્રતિક ચિન્હો જોઈને ખરીદી કરો, અસંતોષકારક માલ ની ફરિયાદ નોંધાવો,MRP કરતા વધારે કિંમત ક્યારેય ન ચૂકવો, ખામી યુક્ત/ ગુણવતા રહિત માલ પરત ન લેતો ફરિયાદ નોંધાવો અને પાકું બીલ માંગો આવી અનેક ફરિયાદોને લઈ રાષ્ટ્રીય ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઇન નં.1915 તેમજ રાજ્ય ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 0222 તેમજ “E. daakhil”પોર્ટલ પર ગ્રાહક પોતાનું રજી્ટ્રેશન કરાવી ઓનલાઇન ફરિયાદ કરી શકે છે.