Connect with us

Bhavnagar

હવે ભાવનગરના બ્રિજરાજ સોલંકી પહોંચ્યાં દિલ્લી પહેલવાનો પાસે, બોલ્યા કુસ્તીબાજો સાથે હાથાપાઇ શરમજનક, ‘બેટી બચાવો’ નો નારા માત્ર કહેવા પૂરતા

Published

on

Now Brijraj Solanki of Bhavnagar reached Delhi Pahalwa, said it is shameful to fight with wrestlers, just chanting 'Beti Bachao' is enough.

કુવાડિયા

મૂળ ભાવનગરના અને ગુજરાત આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી દિલ્લીના જંતર-મંતર પોહચ્યા અને સંભવ મદદ કરવાનું એલાન પણ કર્યું, બ્રિજરાજે પહેલવાનો સાથે પણ કરી મુલાકાત

ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ અને મૂળ ભાવનગરના બ્રિજરાજ સોલંકીએ દિલ્હીનાં જંતર-મંતર પ્રદર્શન કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. અને કહ્યું હતું કે બેટી બચાવો’ નો નારા માત્ર કહેવા પૂરતા છે, વિદેશની ધરતી પર ભારતનું ગૌરવ વધારનાર ભારતીય કુસ્તીબાજ દિલ્હીના જંતર મંતર પર છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે આ કુસ્તીબાજોને રાજકીય પાર્ટી અને સંગઠનોનું સહયોગ વધી રહ્યું છે.

Now Brijraj Solanki of Bhavnagar reached Delhi Pahalwa, said it is shameful to fight with wrestlers, just chanting 'Beti Bachao' is enough.

હવે ગુજરાતની યુવા આમ આદમી પાર્ટીએ કુસ્તીબાજોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે, યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી દિલ્લીના જંતર મંતર ખાતે પોહચ્યા હતા જંતર મંતર પરથી કહ્યું હતું કે. દેશના ખેલાડીઓ સાથે આવું વર્તન ખૂબ જ શરમજનક છે. ‘બેટી બચાવો માત્ર ઢોંગ’ છે. દેશના ખેલાડીઓ સાથે આવો વ્યવહાર ખૂબ જ શરમજનક છે. ‘બેટી બચાવો’નું સૂત્ર માત્ર દંભ છે તેઓએ વધુમાં કહ્યું કે કુસ્તીબાજોની વાત સાંભળવી જોઈએ અને તેમની સાથે ન્યાય થવો જોઈએ.

તે મહિલા ખેલાડીઓના આંસુ જોઈને ખૂબ જ દુઃખ થાય છે જેમણે પોતાની મહેનત અને સમર્પણથી દેશ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. તેમની વાત સાંભળવી જોઈએ અને ન્યાય થવો જોઈએ. તેઓ દેશનું ગૌરવ છે. પરંતુ જ્યારે તેઓ રસ્તાના કિનારે બેસીને ન્યાયની માંગ કરી રહી છે, ત્યારે કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી તે દુઃખદ છે

Advertisement
error: Content is protected !!