Sihor
છોડમાં રણછોડ જોઈશું તો આપણને દરેક પરિસ્થિતિમાંથી વૃક્ષો બચાવશે વિશ્વ પર્યાવરણ દિવસે નહીં આખું વર્ષ વૃક્ષ ઉછેર કરતા રહો : મલય રામાનુજ

દેવરાજ – બ્રિજેશ
17 વર્ષ પૂર્ણ 17 વૃક્ષો વાવવામાં આવ્યા ; સિહોરના ઝૂલેલાલ મંદિર ખાતે વૃક્ષારોપણ કરી YYP નો જન્મ ઉજવાયો, વૃક્ષ વાવી જતન કરવાની ટકોર
સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન આયોજિત વૃક્ષા રોપણ કાર્યક્રમ ૨૦૨૩ અંતર્ગત આજે બપોરે 2 કલાકે ઝુલેલાલ મંદિર સિહોરથી આ સીઝન નું વૃક્ષારોપણની શરૂઆત કરી હતી જેમાં ચાલુ વર્ષે YYP ના 17 વર્ષ પૂર્ણ થવાના હોય પ્રતિક સ્વરૂપે 17 વૃક્ષો યુવા યુગ પરિવર્તન સંગઠનના કાર્યકરો ના ઘરે સ્થાપિત કર્યા હતા. જેમાં YYP ના દરેક સભ્યોએ ભારે જહેમત કરીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. સંસ્થાના સ્થાપક મલય રામાનુજ જણાવે છે કે સંસ્થા સમાજના ઉપયોગી અને ઉથ્થાન માટે કામ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની વાત હોય કે કોરોના મહામારી સામેની લડત હોય ભારતની સાથે ગુજરાત પણ હંમેશાં આગ્રણી રહ્યું છે. નરેન્દ્રભાઈ જેવા વિઝનરી નેતૃત્વનો લાભ સમગ્ર દેશને મળ્યો છે. મલય રામનુજે વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રેમીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વૃક્ષ વાવી પર્યાવરણની જાળવણી કરવાની છે પ્રકૃતિને જીવંત રાખવાની છે પરંતુ કુદરત વિફરે તો કેટલી હેરાન કરે છે તે પણ આપણે અનુભવ્યું છે. શહેરનો દરેક વ્યક્તિ વૃક્ષ ઉછેર માં જોડાય, વ્યક્તિઓ યુવાનો જોડાય તેવી અપીલ છે.
વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુઓ પણ બદલાતી જાય છે પણ આપણી પાસે વિઝનરી લીડરશીપ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ, પર્યાવરણ માટે ખૂબ પ્રયાસો કર્યા છે અને ક્લાઈમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ શરૂ કર્યો છે.મલયે યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે છોડમાં રણછોડ જોઈશું તો અને વૃક્ષ નારાયણની ભાવના તથા ઝાડ કાપવાથી માનવીમાં વેદના થશે તો આપણે પર્યાવરણને જાળવી શકીશું, જતન કરી શકીશું તેમ ભારપૂર્વક જણાવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જમીનનું સ્વાસ્થ્ય સુધારશો તો માનવીનું સ્વાસ્થ્ય પણ આપોઆપ સુધરશે. રાસાયણિક ખાતરો દવાથી માનવી નું સ્વાસ્થ્ય બગડે છે.
ગાય પર આધારિત ખેતી તરફ વળશુ તો માનવી સ્વસ્થ હશે તો બીજું બધું સરળતાથી મેળવી શકાશે. આજના ખાસ દિવસે પોતાની સંસ્થાને ટકોર કરતા કહ્યું કે વૃક્ષો વાવવા ત્યાં સુધી આ કાર્યને સીમિત ન બનાવી આખા વર્ષ દરમિયાન જ્યાં પણ જગ્યા દેખાય, શેઢા પાળા, રોડ-રસ્તા, નદીકિનારે કે પડતર જમીનમાં વૃક્ષો વાવીશું જતન કરીશું તો ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હલ થશે અને કોરોના વખતે ઓક્સિજન ની કિંમત સૌને સમજાઇ છે માટે વધુ વૃક્ષો વાવી શહેરની ધરતીને હરિયાળી નવપલ્લવિત કરવા આહવાન કર્યું હતું.