Sihor
સિહોરના ગરીબશાપીર ગ્રાઉન્ડમાં ગટરના પાણીની ભયાનક માથું ફાડી નાખે તેવી સ્થિતિ – રજુઆત

- અનેક રજૂઆતો છતાં સ્થિતિ જેમની-તેમ, દર્શન કરવા આવતા લોકોને ગટરના પાણી માંથી પસાર થવાનું આ કેવી સ્થિતિ..
સિહોરના વોડ નંબર ૫ થી ૯ માં આવેલ ગરીબશાપીર પાસે આવેલ વિસ્તારમા ગટર ઉભરાવના કાયમિક પ્રશ્ને અહીંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. અહીના રેલ્વેફાટક પાસે માધવનગર માં કાયમી ગટરના પાણી ગરીબશાપીર ની દરગાહ પાસે નીકળતું હોય ગટરનું પાણી કાયમી બંધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે અહીંના રહીશો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે.
અહીં આવેલ સોસાયટીમાં માધવનગર,સાઈ પાર્ક, માધવનગર નંબર ૨, મેરૂપાક, સવૌદયનગર, પંચવટી રેસીડેન્સી, ભગવતી નગર, મેમણ કોલોની, ગાયત્રી સોસાયટી, વેલનાથ સોસાયટીના રહીશો અહીંના વિસ્તારમાં અવાર નવાર ગટરના પાણી ઉભરાતા હોય તેમજ માધવનગર માં રેલ્વેફાટક પાસે તેમજ ગરીબશાપીર ની દરગાહ પાસે કાયમી ગટરનું પાણી નીકળતું હોય અહીંના રહીશોના સ્વાસ્થ્ય ને હાની પહોચતી હોય, રોગચાળો ફેલાતો હોય, ધાર્મિક સ્થળના આવવા જવાના રસ્તામાં ગટરનું પાણી નીકળતું હોય જેને લઈને આ માથાના સમાન દુઃખવા પ્રશ્ન નું કાયમિક ધોરણે વહેલી તકે નિવારણ થાય તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે. અહીંના વિસ્તારમાં ગટર સાથે પીવાના પાણી તેમજ રસ્તાઓ ના વિકાસ પણ રૂંધાયલ છે જાણે અઢારમી સદીમાં અહીંનો માણસ જીવતો હોય તેવું લાગે