Sihor
પરસોત્તમ માસ નિમિતે સિહોર તાલુકાના કરકોલીયા ગામ આવેલ રામદેવજી મહારાજ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

પવાર
સિહોર તાલુકાના કરકોલીયા ગામ ખાતે સુપ્રસિદ્ધ ધામ અને આસ્થા નું મુખ્ય કેન્દ્ર શ્રી રામદેવજી મહારાજ ધામ સુપ્રસિદ્ધ છે.માત્ર ભાવનગર નહિ દેશ દેશાવર થી માનતા માનવા તેમજ પદયાત્રા સાથે બાપાની માનતા માને છે. અને શ્રી રામદેવજી મહારાજ તેમના મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આજરોજ રામદેવજી બાપા ની પવિત્ર અધિક (પરસોતમ માસ) શ્રાવણ સુદ બીજ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રીરામદેવજી બાપા ના દર્શન કરવા માટે ઉમટી પડેલ .અહીંનું રામદેવજી મહારાજનું આખ્યાન ખૂબ જાણીતું છે. તેમજ અહીં બારેમાસ અન્ન ક્ષેત્ર શરૂ હોય શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક મહાપ્રસાદનો લાભ લે છે. ત્યારે આવો આપણે પણ કરકોલીયા ગામે જઈ રામદેવજી મહારાજના દર્શન કરીએ .કરકોલિયા રામદેવજી બાપાની બીજ નિમિત્તે શ્રદ્ધાળુઓ રામદેવજી બાપા ના દર્શન કરવા માટે ઉમટી પડેલ .અહીંનું રામદેવજી મહારાજનું આખ્યાન ખૂબ જાણીતું છે. તેમજ અહીં અન્ન ક્ષેત્ર શરૂ હોય શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક મહાપ્રસાદનો લાભ લે છે. ત્યારે આવો આપણે પણ કરકોલીયા ગામે જઈ રામદેવજી મહારાજના દર્શન કરીએ