Sihor
ભારતમાં કોંગ્રેસ મુક્ત વાતો તણાઇ : કર્ણાટકમાં જીતની સિહોર કોંગ્રેસ દ્વારા ભવ્ય ઉજવણી

પવાર
માં ખોડિયારના દર્શન કરી, ફટાકડા ફોડી, મોં મીઠા કરાવી સત્તા પરિવર્તનનો જશ્ન મનાવતા સિહોરના અગ્રણીઓ – કર્ણાટકની પ્રજાએ તોડફોડની રાજનીતી કરનાર અને કરાવનારને જાકારો આપી દીધો ; ધીરૂભાઈ ચૌહાણ – જયદીપસિંહ ગોહિલ
શનિવાર એ રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની ભવ્ય જીત સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડલાચોક ખાતે માં ખોડિયારના દર્શન કરી મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સિહોર કોંગ્રેસના સિનિયર આગેવાન ધીરૂભાઈ ચૌહાણ અને જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસની આ જીતને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરનારાઓને જડબાતોડ જવાબ સમાન ગણાવી હતી.
અચ્છે દિનના સ્વપ્નાઓ ચકનાચૂર થતા મતદારોએ ભાજપના સુપડા સાફ કર્યા હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત ખેડૂતોની આત્મહત્યાના બનાવો, બેરોજગારી, કૌભાંડો, ભ્રષ્ટાચાર, લાગવગશાહીથી ત્રસ્ત થઈ મતદારોએ ભાજપથી છેડો ફાડયો હોવાનું પણ આગેવાનોએ ઉમેર્યું હતું કે, ખોટા વચનોથી કંટાળેલા મતદારોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુક્યો છે.આ પરીણામો ઘણા સુચક છે અને દેશના મતદારોને વિચારવા માટેની નવી દિશા આપનાર છે.
ઘણા નીરર્થક છતા લાગણી છેડતા મુદાઓ આ પ્રચારમાં ઉભા કરવામાં આવ્યા તેમ છતા કર્ણાટકની પ્રજાએ લોકશાહીનું હનન, બેફામ ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને રાજય તથા રાષ્ટ્રહિતના મુદાઓ પર નજર રાખી મતદાન કર્યુ આ વાત સ્પષ્ટ થાય છે.કર્ણાટકની પ્રજાએ તોડફોડની રાજનીતી કરનાર અને કરાવનારને જાકારો આપી અતી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.