Bhavnagar
ભાવનગર BMCના નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશ્નર જોષીનું નિધન

દેવરાજ
અંતિમવિધિમાં રાજકીય સામાજિક આગેવાનો જોડાયા
ભાવનગર મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશ્નર અને ભાવનગર નાગરિક સહકારી બેંકના ભૂતપૂર્વ ડાયરેકટર તથા વ્યવસાયે એડવોકેટ જયદેવભાઈ ત્રંબકલાલ જોષી (ઉં.વ.84)નું ગત તા. 27ને મંગળવારના રોજ દેહાવસાન થયું છે. સદગત જયદેવભાઈ જોષી જીવનપર્યત જાહેર જીવનમાં સતત સક્રિય રહ્યા હતા. તેમણે ઉક્ત જવાબદારીઓ ઉપરાંત ગાહક સુરક્ષા સમિતિના કારોબારી સભ્ય રહ્યા હતા. તો સદગત સિધ્ધપુર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ ટ્રસ્ટી તેમજ શાંડિલ્ય ગોત્ર જોષી પરિવારના મોભી તરીકે સતત સક્રિય જવાબદારી વહન કરી હતી.
સદગતના નિધનથી ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારી વર્તુળ તથા ભાવનગર નાગરિક સહકારી બેંક પરિવારમાં શોકનું મોજું ફરી મળ્યું હતું.બન્ને સંસ્થાઓએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જયારે, સદગતની અંતિમયાત્રામાં ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર નાગરિક સહકારી બેંક ઉપરાંત, વિવિધ રાજકીય-સામાજિક તથા સ્વૈચ્છિક સંસ્થાના મોભી તથા આગેવાનો અને જોષી પરિવારના સભ્યો વિશાલ સંખ્યામાં જોડાયા હતા.સદગતની સાદડી તા. 29ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન સિદ્ધપુર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય સિંધુનગર ખાતે રાખેલ છે.