Bhavnagar
ભાવનગરમાં ‘સફળતાના વિચારબીજ’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો

પવાર
જાણીતા વિચારક,વિજ્ઞાનિક, શિક્ષણવિદ્ અરુણભાઈ દવેએ, અરવિંદભાઈ ત્રિવેદીના “સફળતાનાં વિચારબીજ” પુસ્તકના વિમોચન પ્રસંગે અદ્ભુત, મનનીય પ્રવચન આપતા કહયુ “તેમણે માણસ માત્ર ના સુખ-દુખ, વિકાસ-વિનાશ, ચડતી-પડતી કે સફળતા – નિષ્ફળતાનો આધાર તેના વિચારો છે.આ વિચારોના આધારે જ તેની માનસિકતા ઘડાતી હોય છે. માનવ મગજના સર્જનશીલ ન્યૂરોન નું નિર્માણ કરતુ આ, પુસ્તક છે. તેના પ્રત્યેક પ્રકરણમાં સફળતાની મોજ પામવાના રસ્તાઓ, યુક્તિઓ અને માર્ગદર્શન પડ્યું છે.” આ પુસ્તક આબાલ વૃધ્ધ સોનૈ સુખના સરનામે લઈ જશે. સ્વસુધારણા, અને આપણી તમામ પ્રવૃત્તિઓ ને ઉત્કૃષ્ટ બનાવનાર સાબિત થશે.કાર્યક્રમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણવિદો અને ઉદ્યોગકારોની, ઉપસ્થિતિ રહી.કાર્યક્રમને સફળ બનાવવામાં અરવિંદભાઈના ચાહકવર્ગનો સહયોગ રહ્યો.હવે આ પુસ્તક સ્ટુડિયો ’સાકાર,ઘોઘા સર્કલ પોસ્ટ ઑફિસ પાસે, ગોવર્ધન પ્લાઝા પરથી મળી શકશે.