Sihor
શ્રદ્ધાના દીપ પ્રગટાવીને પૌરાણિક બ્રહ્મકુંડને ફરી સજીવન કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે ; રાજુભાઇ રાણા

કુવાડિયા
સિહોર પૌરાણિક ઇતિહાસ સાચવીને બેઠું છે, બ્રહ્મકુંડ તેના પૌરાણિક ઇતિહાસ અને સ્થાપત્યકલાથી મશહૂર છે, બ્રહ્મકુંડની કોતરણી જોનારા આજે પણ દંગ રહી જાય છે, અહીં નીરવ શાંતિનો અહેસાસ થાય છે ; રાજુભાઇ રાણા
તાંબા-પિત્તળના ગૃહ ઉદ્યોગ અને રોલિંગ મિલોથી જાણીતું સિહોર શહેર બારમી સદીનો પૌરાણિક ઇતિહાસ સાચવીને બેઠું છે. રાજાશાહીના સમયમાં આ શહેરનો દબદબો હતો. સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહના સમયમાં નવનિર્માણ પામેલા સિહોરના બ્રહ્મકુંડને સ્થાનિક આગેવાનોએ ફરી એક વખત શ્રદ્ધાના દીપ પ્રગટાવીને પૌરાણિક બ્રહ્મકુંડને ફરી સજીવન કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.
તેવું પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ટ આગેવાન રાજુભાઇ રાણાએ કહ્યું હતું. આજે અમાસની ઢળતી સાંજે બ્રહ્મકુંડ ખાતે ખાસ હાજરી આપનાર રાજુભાઇ રાણાએ વધુમાં કહ્યું હતું કે બ્રહ્મકુંડ તેના પૌરાણિક ઇતિહાસ અને સ્થાપત્યકલાથી મશહૂર છે. આ પાવન સ્થળે શ્રદ્ધાનો દીપ પ્રગટાવીને ફરી આ કુંડને સજીવન કરવા સ્થાનિક આગેવાનો આગળ આવ્યા છે જે સરાહનીય છે.
આ બ્રહ્મકુંડની કોતરણી જોનારા આજે પણ દંગ રહી જાય છે. આ બ્રહ્મકુંડમાં નાનાં-નાનાં મંદિરો છે તેમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. ૧ર૬ જેટલાં દેવી-દેવતાઓનાં મંદિરો અહીં છે. કુંડની સ્થાપત્યશૈલી કોઈ પણનું મન મોહી લે તેવી અદ્ભુત છે. અહીં દર મહિનાના પ્રથમ અમાસના દિવસે સાંજે કુંડના દરેક ગોખલામાં બિરાજમાન દેવ-દેવી, મુનિઓને દિવા કરવા સંકલ્પ કર્યો. છે વિવિધ દેવી -દેવતાઓની 126 મૂર્તિઓ પણ આવેલી છે.
દર માસના પહેલા દિવસે એટલે અમાસના દિવસે ઢળતી સાંજે બ્રહ્મકુંડ ખાતે 126 દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે પણ અહીં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના વરિષ્ટ અગ્રણી રાજુભાઇ રાણા, કેશુભાઈ નાકરાણી, મનુભાઈ દીક્ષિત, પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજના સમયે આ બ્રહ્મકુંડનું દશ્ય માણવા જેવું હોય છે.